કોરોના વાયરસની મહામારી ખતમ થવાનું નામ લઈ રહી નથી અને સાથે લોકોને પણ કારણ વિના ઘરની બહાર ન નીકળવાનું સૂચન કરાયું છે. વ્યક્તિગત સ્વચ્છતા અને સાથે યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમાં મહત્વના બને છે. જરૂર ન હોય તો યાત્રા કરવાથી બચવું યોગ્ય છે. પણ જો તમારે યાત્રા કરવી જ પડે તેમ હોય તો અમે આજે જણાવી રહ્યા છે કે યાત્રા સમયે શું કરવું અને શું ન કરવું તે વિશે.
કોરોના મહામારીમાં સાવધાની એ જ બચાવ
બસમાં મુસાફરી કરવાનું શક્ય હોય તો ટાળો
મુસાફરીમાં રાખો કેટલીક ખાસ સાવચેતી
જાણો બસની મુસાફરી કરો છો તો શું કરવું
બિનજરૂરી કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળો, ટિકિટનું ઓનલાઈન બુકિંગ કરો.
ફેસ માસ્ક પહેરેલું રાખો અને સાથે થોડા થોડા સમયે હેન્ડ સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરો.
ટ્રિપ પહેલાંથી તમારું ટેમ્પ્રેચર સાધારણ હોય તે ચેક કરી લો.
નિયમિત રીતે હાથ ધોવાનું યાદ રાખો. ખાસ કરીને બસમાં ચઢતા પહેલાં અને ઉતર્યા બાદ.
ફેસ માસ્કથી નાક અને મોઢું ઢંકાયેલું રહે તેનું ખાસ ધ્યાન રઆખો.
ટિશ્યૂ ન હોય તો સ્લીવ આડી રાખીને છીંક ખાવ કે ખાંસી ખાવ.
રાતે કે લાંબી મુસારીમાં પોતાના ઓઢવાના, તકિયા અને પાણીની બોટલ લઈને જાવ.
જે રાજ્યથી તમે અન્ય રાજ્યમાં જાવ છો ત્યાંની ગાઈડલાઈનનું પાલન કરો.
બસની મુસાફરીમાં ભૂલથી પણ ન કરશો આ કામ
જો તમારી તબિયત સારી ન હોય અને કોરોનાના લક્ષણ જણાતા હોય તો યાત્રા ટાળો.
વારેઘડી તમારા મોઢા, નાક અને ચહેરાને અડો નહીં.
બસની અંદર હોવ ત્યારે કારણ વિના માસ્કને નીચે ન ઉતારો.
જરૂર ન હોય તો આર્મરેસ્ટ, સ્વિચ, બારી, સીટના હેન્ડલને હાથ ન લગાવો.
ગ્લવ્ઝ, માસ્ક, ટિશ્યૂને બસની અંદર ઉતારીને ન ફેંકો.