થોડા દિવસો પહેલાં જ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોના વાયરસને લઈને રેન્ડમ સેમ્પલિંગની મદદથી તપાસ શરૂ કરી. હેતુ એ તપાસવાનો હતો કે કોરોના વાયરસ કમ્યુનિટી ટ્રાંસમિશન એટલે કે સામુદાયિક સ્તરે સંક્રમણ તો ફેલાવી નથી રહ્યો ને, રિપોર્ટમાં સામે આવ્યું કે દેશમાં કેટલાક ક્લસ્ટર ક્વૉરન્ટાઈન વિસ્તારોમાં કમ્યુનિટી ટ્રાંસમિશન શરૂ થયું છે. તેઓએ સંકેત આપ્યા છે કે દેશ ત્રીજા સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે.
ફેબ્રુઆરીથી 2 એપ્રિલ સુધીમાં ICMRએ કોરોના વાયરસે બીમાર 5911 સંદિગ્ધ દર્દીઓના સિવિયર એક્યૂટ રેસ્પિરેટરી ઈલનેસ ટેસ્ટ કર્યો છે. તેમાં ખ્યાલ આવ્યો છે કે 104 એટલે કે 1.8 ટકા લોકો કોરોના પોઝિટિવ છે. આ ટેસ્ટ દેશના 15 રાજ્યોના 36 શહેરોમાં કરાયો હતો.
#COVID19 Testing Status: ICMR (@ICMRDELHI) tests a total of 1,44,910 samples from 1,30,792 individuals as on 9th April 2020, 9 PM IST. 5705 individuals have been confirmed positive among suspected cases and contacts of known positive cases in India. pic.twitter.com/dxAirUNJtM
જે રાજ્યોમાં 1 ટકાથી વધારે SARI કેસ છે તેમાં ગુજરાત 792માંથી 13 કેસ એટલે કે 1.6ટકા, તમિલનાડુમાં 577માંથી 5 કેસ એટલે કે 0.9 ટકા, મહાર્ષ્ટ્રમાં 552માંથી 21 કેસ એટલે કે 3.8 ટકા અને કેરળના 502માંથી 1 કેસ એટલે કે 0.2 ટકા નોંધાયો છે.
ICMRએ રિપોર્ટમાં કહી આ વાત
ICMRના રિપોર્ટના આધારે એ વાતની સલાહ આપવામાં આવે છે કે જે રાજ્યો અને જિલ્લા પર સરકારે સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે તેમાં કોરોના વાયરસના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ પ્રાથમિકતા પર રાખવા.
1,30,000 samples have been tested so far. Out of these 5,734 samples tested positive till date. Positivity rate ranges between 3-5% in the last 1-1.5 months. It has not increased substantially. Yesterday we tested 13,143 samples: @ICMRDELHI
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) April 9, 2020
જાણો કેવી રીતે ફેલાઈ રહ્યું છે સંક્રમણ
હાલમાં 5911 કેસમાં ફક્ત 2 પોઝિટિવ કેસ એવા છે જેમાં એક કોરોના દર્દીના સીધા સંપર્કમાં હતા. અન્ય કેસ આંતરરાષ્ટ્રીય યાત્રા સાથે જોડાયેલા હતા. જ્યારે 59 પોઝિટિવ કેસ એવા છે જેની કોઈ ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમને દેશની અંદર જ સંક્રમણ થયું છે.
ICMRએ કર્યા આટલા રિપોર્ટ
14 માર્ચે પહેલા રિપોર્ટમાં કહેવાયું કે તપાસમાં કોઈ પોઝિટિવ કેસ નથી.
15 માર્ચથી 21 માર્ચની વચ્ચેની તપાસમાં કહેવાયું કે 106 દર્દીઓમાંથી 2 જ પોઝિટિવ કેસ છે.
22 માર્ચથી 28 માર્ચની વચ્ચે કરાયેલા રિપોર્ટમાં 2877 માંથી 48 દર્દીઓ પોઝિટિવ મળ્યા હતા. બીજા રિપોર્ટમાં 83.3 ટકા દર્દીઓ 50 વર્ષથી ઉપરના હતા. જ્યારે 81.4 ટકા દર્દીઓ 40 વર્ષથી ઉપરના હતા.