ગુજરાતમાં લોકો કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવતી હાઇડ્રૉક્સીક્લોરક્વીન લેવાની સાથે તેને જમા પણ કરવા લાગ્યા છે. જેને ધ્યાનમાં લઇને સરકારે દવાની આરોગ્ય પરની આડઅસરની ચેતાવણી જારી કરવી પડી અને કેમિસ્ટોને નિર્દેશ આપવામાં આવ્યો કે ડૉકટરની સલાહ લીધા વગર તેનું વેચાણ કરવાનું નહીં.
ભારત દેશ દુનિયામાં સૌથી વધારે હાઇડ્રૉક્સીક્લોરક્વીનનું ઉત્પાદક છે જે મલેરિયાના ઇલાજમાં ઉપયોગી થાય છે. પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સરકારને કોવિડ-19 દર્દીઓના ઇલાજ માટે આ દવા નિર્યાત કરવાની અપીલ બાદ તેની માગ વધુ થઇ ગઇ છે.
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી કમિશનર એચ જી કોશિયાએ પીટીઆઇ-ભાષા સાથે કહ્યું કે અમને ખબર મળી છે કે હાઇડ્રૉક્સીક્લોરક્વીન અંગેના સમાચાર આવ્યા બાદ તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોવિડ-19ના ઇલાજમાં પ્રભાવી દવા જણાવ્યા બાદ લોકો તેને ખરીદવા મેડીકલ સ્ટોર પર પહોંચી રહ્યાં છે.
કોશિયાએ જણાવ્યું કે એવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે જેમાં લોકો દવાનું સેવન કરી રહ્યાં છે અથવા તો કોરોના વાયરસના ડરથી તેની જમાખોરી કરી રહ્યાં છે.
ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીના કમિશનરે જણાવ્યું કે આ એચ દવા છે જેને કેમિસ્ટ ચિકિત્સકની સલાહ બાદ જ વેચાણ કરી શકે છે. જો કોઇપણ માણસમાં કોવિડ-19 ના લક્ષણ નથી તો આ દવા લેવી હિતાવહ નથી.
કોશિયાએ જે લોકો ડૉકટરની સલાહ લીધા વગર આ દવા લઇ રહ્યા છે તેને ચેતવતાં કહ્યું કે આ દવા તમને નુકસાન પહોંચાડી શકે છે. આ અધિકારીએ જણાવ્યું કે એટલા માટે અમે કોઇપણ ડૉકટરની મંજૂરી વગ આ દવા નહી લેવાની સલાહ આપીએ છે. આ સાથે અમે કેમિસ્ટોને એવા દર્દીઓને આ દવાનું વેચાણ નહી કરવા જણાવ્યું છે જે લોકો કોઇપણ ડૉકટરનું પ્રિસ્ક્રીપ્શન લીધા વગર આવે છે.