શનિવારે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો મુખ્ય સચિવોનો આદેશ જારી કર્યો છે. જે હેઠળ રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોને કહેવામાં આવ્યું કે મજૂરો માટે એસડીઆરએફ ફંડથી રાહત શિબિરોની વ્યવસ્થા કરવામાં આવે. તેમના માટે અસ્થાયી આવાસ, ભોજન, કપડા અને સ્વાસ્થ્ય સેવાઓની વ્યવસ્થાઓ કરવામાં આવે.
શનિવારે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો મુખ્ય સચિવોનો આદેશ જારી કર્યો
એસડીઆરએફ ફંડથી રાહત શિબિરોની વ્યવસ્થા કરવામાં આવે
ગૃહ મંત્રાલયે તમામ મુખ્ય સચિવોને મોકલેલા પત્રમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી તરફથી જાહેર લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને મેડિકલ સેવા અને કપડા પણ ઉપલબ્ધ કરવામાં આવી શકે છે. ગૃહ મંત્રાલયના એક અધિકારી મુજબ એસડીઆરએફના નવા નિયમો હેઠળ અસ્થાયી આવાસ, ભોજપ, કપડા અને મેડિકલ સેવા વગેરેની જોગવાઇ બંધને પગલે ફસાયેલા મજૂરો સહિત ઘરવિહોણા લોકો અને રાહત શિબિરો અથવા અન્ય સ્થાનો પર રહી રહેલા લોકો પર લાગૂ થશે.
ગૃહમંત્રીએ રાજ્યોને આપ્યા આ નિર્દેશ
દેશના ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, પીએમના માર્ગદર્શનમાં આજે તમામ રાજ્યોને કોવિડ-19 ને ધ્યાને લેતા એસડીઆરએફના ભંડોળનો ઉપયોગ કરતા તમામ ઘરવિહોણા, પ્રવાસી મજૂરો અને લૉકડાઉનને કારણે રાહત શિબિરોમાં રોકાયેલા લોકોને અસ્થાયી આવાસ, ભોજન, કપડા, તબીબી દેખરેખ વગેરે આપવા માટે નિર્દેશ આપ્યા છે.
Ministry of Home Affairs directs States/UTs to include 'Provisions for temporary accommodation, food, clothing, medical care etc. for homeless people, inc. migrant labourers, stranded due to lockdown & sheltered in relief camps' under SDRF fund allocations in wake of COVID-19. pic.twitter.com/SG7Z8PG4fs
— गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) March 28, 2020
મજૂરો માટે રાહત કેમ્પ તૈયાર થાય : ગૃહ મંત્રાલય
રાજ્યો સાથે મળીને ગૃહ મંત્રાલય લૉકડાઉનને લાગૂ કરવાને લઇને જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતાને લઇને નજર રાખી રહ્યું છે. મંત્રાલયે તમામ રાજ્યોને કહ્યું છે કે તે મજૂરો માટે રાહત કેમ્પ તૈયાર કરે. આ ઉપરાંત આ કેમ્પોની માહિતી મજૂરો, કામદારો સુધી પહોંચાડવામાં આવે.
ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે દેશના વિભિન્ન ભાગોમાં મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના કાર્યસ્થળને છોડીને સેંકડો કિલોમીટર પગપાળા ચાલીને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે અને ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત બાદ સામાન્ય વાહનવ્યવહાર સેવાઓ બંધ થઇ જવાને કારણે પ્રવાસી મજુરો પાસે પગપાળા ઘરે પહોંચવું એકમાત્ર વિકલ્પ બચ્યો છે.