કોરોના મામલે હાઇકોર્ટમાં સુઓમોટો અરજીના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર દ્વારા કોરોના મુદ્દે હાઇકોર્ટમાં એફિડેવિટ કાઢવામાં આવ્યું છે. એફિડેવિટમાં સુરતમાં કોરોના મુદ્દે સરકારે દાવો કર્યો છે. સુરતમાં ઔદ્યોગિક ગૃહોના કામદારોથી સંક્રમણ વધ્યું છે.
કોરોના મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો અરજીનો મામલો
સરકારે પોતાના સોગંદનામામાં સુરતમાં વધતા સંક્રમણના કારણો આપ્યા
સરકારે કહ્યું નિયમોનું પાલન ન થતા કેસ વધ્યા
આ મામલે સરકારે જણાવ્યુ છે કે 492 ઔદ્યોગિક એકમોમાં ગાઇડલાઇનનું પાલન કરતા નથી. 882માંથી 492 એકમોમાં નિયમોનું પાલન કરતા નથી. નિયમોનું પાલન ન થતા કેસો વધ્યા હોવાનો સરકારે દાવો કર્યો છે.
સરકારે અરજીમાં જણાવ્યું છે કે 172 ઔદ્યોગિક એકમોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે, જ્યારે નિયમોના ઉલ્લંઘનનો રૂ.67.66 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. IAS અધિકારીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ અંગે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.