ભારત સહિત ગુજરાતમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે લોકો માટે સૌથી અગત્યની જીવનજરૂરિયાતની વસ્તુઓ છે. ત્યારે લોકો શાકભાજી-દૂધ માટે પડાપડી કરવા લોકડાઉન હોવા છતાં ઘરની બહાર આવે છે. ત્યારે વારંવાર તંત્ર દ્વારા વારંવાર લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શાકભાજી-દૂધ ને લઇને કોઇ તકલીફ નથી. જો કે આ વચ્ચે બનાસકાંઠા ડેરીમાંથી 6.50 લાખ લીટર દૂધ દિલ્હી મોકલવામાં આવ્યું.
લોકડાઉનની વચ્ચે જીવનજરૂરિયાતની વસ્તુઓની સહાય
પાલનપુર ડેરીમાંથી દિલ્હી-હરિયાણા માટે 6.50 લાખ લીટર દૂધની મદદ
ભારતના પીએમ મોદી સહિત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકડાઉનના સમયગાળા દરમિયાન સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અનેક ઔદ્યોગિક એકમ, એનજીઓને મદદ માટે અપીલ કરવામાં આવી છે. લોકડાઉનના પગલે દેશના અનેક ભાગોમાં આવશ્યક વસ્તુઓની આપૂર્તિને પહોંચીવળવા માટે માલગાડીઓની અવરજવર દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલ રેલવે વિભાગ દ્વારા માલગાડીની અવરજવર જ ચાલુ રાખવામાં આવી છે.
ત્યારે રાજ્યના બનાસકાંઠાની પાલનપુરની ડેરીમાંથી 6.50 લાખ લીટર દૂધ દિલ્હી-હરિયાણા ખાતે મોકલવામાં આવ્યું છે. કોરોના વાયરસના પગલે લોકડાઉના કારણે જીવનજરૂરિયાતની સામગ્રીની આપૂર્તિને પહોંચી વળવા માટે ઉત્તર ભારતના હરિયાણા અને દિલ્હી ક્ષેત્રમાં દૂધની આપૂર્તિ પૂરી કરવા માટે પાલનપુર સ્ટેશન પરથી 6.50 લાખ લીટર દૂધ ટેન્ક વેગનોમાં લોડિંગ કરવામાં આવ્યું છે.
જો કે આ અંગે પશ્ચિમ રેલેવના મંડળ રેલ પ્રબંધક દીપક કુમાર ઝાના જણાવ્યાં અનુસાર હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને 14 એપ્રિલ સુધી પેસેન્જર ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમદાવાદ મંડળ તરફથી અગાઉ કાંકરિયાથી ઝાંસીના ભીમસેન તેમજ પાલનપુરથી હિંદ ટર્મિનલ માટે દુધના ઉત્પાદકવાળી બે માલગાડીનું લોડિંગ કરી ગંતવ્ય પર મોકલવામાં આવી.