કોરોના વાયરસને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે ચોથો દિવસ છે. જો કે લોકડાઉનને લઇને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સ્વૈચ્છિક સંસ્થા, એનજીઓ વગેરેને દાન કરવા માટે કરવામાં આવેલી અપીલને લઇને આજરોજ બોટાદ જિલ્લાના પાળીયાદ ગામમાં આવેલ વિસામણબાપુની જગ્યાના મંહત દ્વારા પાંચ લાખનું દાન મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યું છે.
બોટાદ જિલ્લાના પાળિયાદમાં આવી છે વિસામણબાપુની જગ્યા
મહંત મહામંડલેશ્વર તરફથી પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો
બોટાદ જિલ્લા માટે 250 મણ ઘઉં અને ચોખા આપવાની જાહેરાત
કોરોના વાયરસને લઈને દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. આ મહામારીના સમયે અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા અલગ-અલગ પ્રકારથી સેવાઓ કરવામાં આવી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાના પાળીયાદ ગામમાં આવેલા ઐતિહાસિક વિસામણબાપુની જગ્યાના મહંત મહામંડલેશ્વર પૂજય નિર્મળાબા તરફથી મુખ્ય પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો છે.
મહામંડલેશ્વર નિર્મળાબા તરફથી પાંચ લાખનો ચેક જિલ્લા કલેકટરને આપવામાં આવ્યો છે. આ સાથે પાળિયાદની વિસામણબાપુની જગ્યા તરફથી બોટાદ જિલ્લામાં લોકો માટે જમવાની વ્યવસ્થા ભાગ રૂપે 250 મણ ઘઉં અને 250 મણ ચોખા આપવાની જાહેરાત કરાઇ છે.
દુનિયા સહિત ભારતમાં જ્યારે કોરોના વાઇસની સામે જંગ લડી રહ્યું છે ત્યારે ભારતમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વમાં આ મહામારીને લઇને લઇને અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક લોકો આ મહામારીના શિકાર બન્યાં છે. ત્યારે દેશમાં આવેલી આ મહામારી બચવા અનેક સંસ્થાઓ દ્વારા દાન આપવામાં આવી રહ્યું છે.