છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3.40 લાખથી વધુ નવા કેસ આવ્યા છે અને સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કુલ કેસના 74.15 ટકા કેસ આ 10 રાજ્યોના છે જેના કારણે ચિંતા વધી છે.
દેશમાં કોરોનાનો હાહાકાર
કુલ કેસના 74.15 ટકા કેસ આ 10 રાજ્યોના
24 કલાકમાં ભારતમાં 3.40 લાખથી વધુ નવા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી શનિવારે કહેવાયું છે કે કોરોનાના દૈનિક નવા કેસમાં 74.15 ટકાનો વધારો થયો છે. આ કેસમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી સહિત કુલ 10 રાજ્યોનો સમાવેશ થાય છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, બિહાર અને પ.બંગાળ સહિતના રાજ્યોમાં સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણમાં વધારો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3 લાખ 49 હજાર નવા કેસ આવ્યા છે અને સાથે છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2 લાખ 15 હજાર દર્દી સાજા થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. 24 કલાકમાં ભારતમાં 2761 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં કુલ 1 કરોડ 69 હજાર કોરોના કેસ નોંધાઈ ચૂક્યા છે. હાલ 26 લાખ 74 હજાર કોરોના એક્ટિવ કેસ મળી રહ્યા છે તો સાથે કુલ 1 લાખ 92 હજાર લોકોના મૃત્યુ થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. કોરોના બાદ કુલ 1 કરોડ 40 લાખ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 67 હજાર નવા કેસ આવતાં સ્થિતિ વણસી છે.
India becomes the fastest country to administer 14 crore doses of #COVID19 vaccine in just 99 days. Also, the country has administered more than 24 lakh vaccine doses administered till 8 pm today: Union Health Ministry pic.twitter.com/CuppkR7qeR
મંત્રાલયે કહ્યું કે દેશમાં સામે આવેલા સંક્રમણના કુલ કેસમાં 74.15 ટકા કેસ કુલ 10 રાજ્યોમાંથી આવી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થઈ રહ્યો છે.
જાણો શું છે રિકવરીની સ્થિતિ
હાલમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં કુલ 66.66 ટકા દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાના 13.83 ટકા વેક્સીનેશનના ડોઝ અપાઈ ચૂક્યા છે.