કોરોના વાયરસે લગભગ 7 મહિના પહેલાં જ ભારતમાં પગપેસારો કર્યો હતો. ત્યારથી લઈને અત્યારસુધીમાં સ્થિતિ સંપૂર્ણ બદલાઈ ચૂકી છે. હવે તે એક દિવસમાં હજારોની સંખ્યામાં લોકોને સંક્રમિત કરી રહ્યું છે. આ બીમારીએ પોતાનો મિજાજ બદલ્યો છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ખુલાસો કર્યો છે કે આ વાયરસ ફક્ત દર્દીના ફેફસાં જ નહીં પણ હવે મગજ, કિડની અને હાર્ટ પર પણ અસર કરી રહ્યું છે. આ કારણે દર્દીને વધારે નુકસાન થઈ રહ્યું છે.
કોરોનાએ બદલ્યો મિજાજ
AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ખુલાસો કર્યો
દર્દીના મગજ, હાર્ટ અને કિડની પર પણ કરે છે અસર
કોરોના વાયરસ એકસાથે અનેક અંગો પર કરે છે હુમલો
દેશમાં કોરોના ક્લીનિકલ રિસર્ચ ટાસ્ક ફોર્સના પ્રમુખ ડોક્ટર ગુલેરિયાએ આ વાયરસના બદલાતા રૂપને લઈને કહ્યું કે હવે તે સિસ્મેટિક ડિસીઝ બન્યો છે. આ બીમારીમાં શરીરમાં એકસાથે અનેક અંગો પર વાયરસ હુમલો કરે છે. તેઓએ કહ્યું કે કોરોનાથી સાજા થયા બાદ પણ અનેક દર્દીઓના ફેફસામાં તકલીફ રહે છે. જો કે આ પ્રકારના દર્દીઓને અનેક મહિના બાદ પણ ઓક્સીજનની જરૂર રહે છે.
ખૂબ જ ખતરનાક થયો કોરોના
ડોક્ટર ગુલેરિયાના આધારે આ વાયરસ ખતરનાક બન્યો છે. તેઓ કહે છે કે પહેલાં તે નિમોનિયા જેવો હતો. પછી તેણે દર્દીના શરીરમાં લોહી ગંઠાવવાનું શરૂ કર્યું અને તેના કારણે ફેફસા અને હાર્ટ બંધ થવા લાગ્યા. જેના કારણે દર્દીનું મોત થતું. હવે અમે જોઈ રહ્યા છીએ કે તે મગજ પર પણ અસર કરે છએ. આ સિવાય ન્યૂરોલોજીકલ મુશ્કેલીઓ પણ થઈ રહી છે. હવે તે એક ગંભીર સમસ્યા બની રહ્યું છે.
3 મહિના બાદ પણ રહે છે વાયરસની અસર
ડોક્ટર ગુલેરિયાના આધારે સીટી સ્કેનમાં ખ્યાલ આવે છે કે વાયરસથી બહાર આવ્યા બાદ પણ 3 મહિના બાદ સુધી ફેફસામાં સમસ્યા રહે છે. જેના કારણે અનેક લોકોને ઓક્સીજનની જરૂર રહે છે. તેઓએ કહ્યું કે અનેક અઠવાડિયા સુધી લોકો નબળાઈની ફરિયાદ કરે છે અને કામ કરવાની હિંમત કરી શકતા નથી. તેઓએ એમ પણ કહ્યું કે તેમને ગંભીર ન્યૂરોલોજિકલ મુશ્કેલીઓ થઈ રહી છે.