ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ટ્વીટ કરીને આપી જાણકારી
ઘરે જ ઉપચાર કરી રહ્યા હોવાની કરી વાત
ઉલ્લેખનીય છે કે, પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી તેમણે ટ્વીટ કરીને આપી હતી.
શું લખ્યું હાર્દિક...?
હાર્દિક પટેલે પોતાના ટ્વીટર પર ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આજે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહ અનુસાર ઘરે જ ઉપચાર ચાલું છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી ઝડપથી સાજે થઇ જઇશ.
आज मैं कोरोना पॉज़िटिव आया हूँ। डॉक्टर की सलाह अनुसार घर पर ही उपचार चल रहा हैं। आपके प्रेम और प्रार्थना से जल्द ठीक हो जाऊँगा।
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે ત્યારે આખા એપ્રિલ મહિનામાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે શનિવારે 13847 કેસ સામે આવ્યા છે. જોકે રાહતની વાત કહી શકાય કે 10582 દર્દીઓ રિકવર થઈ ગયા છે. જોકે ચિંતાની વાત છે કે ગુજરાતમાં મોતની સંખ્યા હજુ પણ વધુ છે, એક જ દિવસમાં 172 દર્દીઓના મોત થયા છે.
અમદાવાદમાં કેસ ઘટ્યા
અમદાવાદમાં 4980 કેસ નોંધાયા છે, મહત્વનું છે કે અહીં અગાઉના સમય કરતાં આંશિક ઘટાડો નોંધાયો છે, તો સાથે જ રાજ્યના અન્ય મહાનગરો જેમ કે સુરતમાં આજે 1795, રાજકોટમાં 605 અને વડોદરામાં 547 નવા કેસ આવ્યા છે. અમદાવાદમાં 21, વડોદરામાં 11, રાજકોટમાં 10 અને સુરતમાં 18 ના મોત નોંધાયા છે.
રાજ્યમાં પહેલી વાર 18+ 55,235 લોકોનું રસીકરણ
મહત્વનું છે કે આજથી 18+ લોકોનું પ્રથમ વાર રસીકરણ રાજ્યમાં શરૂ કરી દેવામાં આવ્યું હતું, જેમાં 55,235 લોકો જે 18 થી 44 ની વયના છે ને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આ સિવાય કુલ 2,17,093 લોકોને રસી અપાઈ છે, અને રાજ્યમાં કુલ 4,29,130 લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયા છે, રિકવરી રેટ હાલમાં 73.78 ટકા છે, સાથે જ 1,42,139 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 637 લોકો વેન્ટિલેટર પર છે, અને 1,44,502 દર્દીઓની હાલત સ્થિર છે. કુલ મોતનો આંકડો 7355 થઈ ગયો છે.