ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલમાં કાર્યરત છે, જે ટૂંકાવાયમાં આવ્યું છે. કોરોના વાઇરસના વધતા જતા કેસના કારણે વિધાનસભાગૃહને આ કદમ ઉઠાવવાની ફરજ પડી છે, CM રૂપાણી ગૃહમાં સત્ર મોકુફ રાખવાની દરખાસ્ત મુકી હતી જે સર્વાનુમતે પસાર થતાં ગુજરાત વિધાનસભા અચોક્કસ મુદ્દત સુધી મુલતવી રખાઈ છે. આ પહેલાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેબિનેટના પ્રધાનો, તેમજ વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
ગુજરાતમાં કોરોનાને કહેર યથાવત
ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર ટૂંકાવવામાં આવ્યું
ગુજરાતમાં કોરોનાના 29 કેસ
બજેટસત્ર ટૂંકાવવા માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ અગાઉ સભાગૃહમાં એવી દરખાસ્ત રજૂ કરી હતી કે કોરોનાના વાઇરસના કારણે વિધાનસભા સત્ર ટૂંકાવવું જોઇએ.
વિપક્ષના નેતાની દરખાસ્તને અધ્યક્ષે ફગાવી
પરંતુ જે તે સમયે મુખ્યપ્રધાન અને શાસક પક્ષના સભ્યોના ઇનકાર અને કેટલીક સ્પષ્ટતા પછી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિપક્ષની દરખાસ્ત ઠૂકરાવી દીધી હતી. એક તબક્કે વિધાનસભા સત્ર ટૂંકાવવામાં ના આવતાં વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું હતું.
વિધાનસભાનું સત્ર પણ ટૂંકાવાયું
હવે પરિસ્થિતિ બદલાઇ છે. સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં કોરોના વાઇરસનો કહેર દેખાવવાનો શરૂ થયો છે. પોઝિટિવ આવ્યા છે. સરકારે આ કેસની ગંભીરતાં જોતાં અમદાવાદ સહિતના શહેરોમાં લોકડાઉનની જાહેરાત કરી છે. ત્યારે હવે વિધાનસભાનું સત્ર પણ ટૂંકાવાયું છે.
25 માર્ચ સુધી ગુજરાતના ચાર મોટા શહેરો લૉકડાઉન
કોરોના વાયરસ મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. જેમાં ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં 25 માર્ચ સુધી જીવન જરૂરી વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. આ ચારેય શહેરોમાં લૉકડાઉન જેવી સ્થિતિ રહેશે. કોરોના વાયરસને પ્રસરતો અટકાવવા નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. મેડિકલ સ્ટોર, હોસ્પિટલ ખુલ્લા રાખવા મંજૂરી અપાઇ છે.