ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેને લઇને ગુજરાતમાં પણ કોરના વાયરસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારે રાજ્યના બે જિલ્લાઓમાં નેગેટિવ રિપોર્ટ આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
કોરોનાને લઇને ભાવનગર અને સુરેન્દ્રનગરથી આવ્યાં રાહતના સમાચાર
રાજ્યમાં જ્યારે કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભાવનગર અને સુરેન્દ્રનગરથી તંત્ર માટે રાહતના સમાચાર આવ્યાં છે. જેમાં સુરેન્દ્રનગરમાં 8 અને ભાવનગરમાં 4 શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો લીધો છે.
કોરોના વાયરસને લઇને ભાવનગરથી આવ્યા મહત્વના સમાચાર
કોરોના વાયરસને લઇને જ્યારે રાજ્યમાં પોઝિટિવ સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે ભાવનગરથી તંત્ર માટે મહત્વના સમાચાર આવ્યાં છે. જેમાં 4 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં કોકરોનાના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. આમ ચારેય દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ હાશકારો લીધો છે.
સુરેન્દ્રનગરમાં કોરોનાના 8 શંકાસ્પદો રિપોર્ટ આવ્યા નેગેટિવ
કોરોના વાયરસને લઇને ગુજરાતમાં કુલ 42 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ત્યારે ભાવનગરની જેમ સુરેન્દ્રનગરમાંથી પણ તંત્ર માટે રાહતના સમાચાર આવ્યાં છે. સુરેન્દ્રનગર ખાતે 8 શંકાસ્પદોના રિપોર્ટ ચેકિંગ માટે મોકલાયાં હતા. જો કે તંત્રએ રાહતનો શ્વાસ લેતાં 8 શંકાસ્પદોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા. સુરેન્દ્રનગર જિલ્લાના અલગ-અલગ તાલુકામાંથી રિપોર્ટ મોકલવામાં આવ્યાં હતા. આમ જિલ્લાના આઠેય રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રને હાશકારો થયો છે.