રાજ્યમાં કોરોના સંકટ દિવસેને દિવસે ઘટી રહ્યું છે. જો કે, સ્થિતિને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. શાળાઓ ખોલવાને લઇને ગાઇડલાઇન જાહેર કરી છે.
શાળા શરૂ કરવા મુદ્દે SOP
કન્ટેઈનમેન્ટ ઝોનમાં નહીં ખુલે શાળા
તમામ નિયમોનું પાલન કરવું પડશે
ઉલ્લેખનીય છે કે, સરકારે જાહેર કરી ગાઇડલાઇન પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં શાળા ખોલી શકાશે નહીં તો કન્ટેનમેન્ટ ઝોનમાં કોરોનાગ્રસ્ત પરિવારના બાળકો શાળા જઈ શકશે નહીં. તો રાજ્યની તમામ શાળાઓએ કેન્દ્રની ગાઇડલાઇનનું પાલન કર્યું હતું.
વિદ્યાર્થીઓને નહીં કરી શકાય દબાણ
ઉલ્લેખનીય છે કે, દરેક શાળાએ માસ્ક, સામાજિક અંતર, સેનેટાઈઝરના નિયમો પાળવા પડશે તો વિદ્યાર્થીઓ સ્કૂલે ન આવવા માગે તો તેમના પર દબાણ નહીં કરી શકાય.
11 જાન્યુઆરીથી રાજ્યમાં શરૂ થશે શાળા
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે સ્કૂલોને લઇને મોટી જાહેરાત કરી છે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12માંનું શિક્ષણકાર્ય શરુ કરવામાં આવશે. ગુજરાતમાં શિક્ષણકાર્ય શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12માંનું શિક્ષણકાર્ય 11 જાન્યુઆરીથી શરુ કરાશે. PG અને UGના છેલ્લા વર્ષમાં શિક્ષણકાર્ય ચાલુ કરાશે.
અન્ય ધોરણો માટે આગામી સમયમાં નિર્ણય લેવાશે
શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે ધો.10 અને 12 સિવાયના અન્ય ધોરણો માટે આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાશે. હાલ આ બંને ધોરણો માટે સ્કૂલો શરૂ કરાશે અને કેન્દ્રના SOPના આધારે નિયમોનું પાલન કરવામાં આવશે. જો કે શાળાઓ ખુલશે છતાં પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે. જો કે વિદ્યાર્થીઓએ શાળામાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. તેમજ કેન્દ્ર સરકારની SOPનું શાળામાં ફરજિયાત પાલન કરવાનું રહેશે.
શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી
ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજથી શાળા શરુ કરવાને લઇને મહત્વની જાહેરાત કરી છે. જો કે આ સાથે શાળામાં આવતા વિદ્યાર્થીઓને વાલીઓની મંજૂરી લેવાની રહેશે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી.
માસ પ્રમોશનને લઇને શિક્ષણમંત્રીનું નિવેદન
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 10 અને 12ના વર્ગો 11 જાન્યુઆરીથી શરુ કરવાને લઇને જાહેરાત કરી છે. આ સાથે શિક્ષણમંત્રીએ કહ્યું કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે નહીં, જેટલું ભણાવાશે તેટલાની પરીક્ષા લેવાશે.
કોરોના વાયરસ સંક્રમણના 685 નવા કેસ
8 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 685 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ વધ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
પ્રેસનોટ અનુસાર, ગત 24 કલાક દરમિયાન કોરોનાના 685 નવા કેસ સામે આવ્યા છે. જેથી ગુજરાતમાં અત્યાર સુધીમાં 250,598 દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 95.05 ટકા થયો છે. તો ગુજરાતમાં આજે 49,952 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 1,00,53,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે પહેલા કરતા કોરોનાના ટેસ્ટની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.
રાજ્યમાં 9 હજારથી ઓછા એક્ટિવ કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજે 892 દર્દી સાજા થયાં અને અત્યાર સુધીમાં કુલ 2,38,114 દર્દીઓ સાજા થયાં છે. તો હાલ 8149 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં આજે 3 દર્દીના મોત
આજે કોવિડ-19થી 3 દર્દીઓના મોત થવા પર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 4335 થઇ ગઇ છે. આજે અમદાવાદમાં 2 અને તાપીમાં 1 આમ 24 કલાક દરમિયાન કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સૌથી વધુ દર્દીઓના અમદાવાદમાં મૃત્યુ થઇ રહ્યા છે.