આજથી દેશવ્યાપી કોરોના વેક્સીનેશન કાર્યક્રમ શરુ થઇ ગયો છે અને દેશમાં કુલ 3,006 કેન્દ્રો ઉપર આરોગ્ય કર્મચારીઓ અને ફ્રંટલાઇન વર્કર્સને વેક્સીન લગાવાની શરુઆત કરવામાં આવી છે. આવામાં ગુજરાતમાં રાજકોટના એક મંદિરે કોરોનાથી બચવા માટે ગજબ આઈડ્યા અપનાવ્યો છે.
કોરોના મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે મંદિરમાં પણ રાજકોટવાસીઓએ નવતર પ્રયોગ અપનાવ્યો છે. હાલમાં જ ગુજરાતના રાજકોટના એક મંદિરમાં સેંસરયુક્ત ઘંટ લગાવામાં આવ્યો છે.
રાજકોટના વિશ્વકર્મા મંદિરના તંત્ર તરફથી સેંસરયુક્ત ઘંટ લગાવામાં આવ્યો છે. જે કોઇપણ સ્પર્શ કરાવામાં આવ્યા વગર વાગે છે. કોરોનાકાળમાં ઓછામાં ઓછા માનવીય સંપર્ક સ્થાપિત કરવામાં આવે, તેના માટે સેંસરયુક્ત ઘંટ લગાવામાં આવ્યો છે. આ ઘંટમાં બે થી 20 સેન્ટીમીટરથી દુર હાથ રાખવા પર જ પોતાની જાતે વાગવા માંડશે.
રાજકોટના સ્થાનિક નિવાસી હરિકૃષ્ણભાઇ અડિયેજા અને આશિષ સંચાણીએ આ સિસ્ટમને તૈયાર કરી છે. આ ઘંટમાં સેંસર, સર્કિટ, મોટર, એલીમીટર અને વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સિવિલ એન્જિનીયર આશિષ ભાઇએ જણાવ્યું કે સેંસરયુક્ત ઘંટ બનાવામાં આઠ દિવસનો સમય લાગશે. આશિષે જણાવ્યું કે તેમના દોસ્ત અને સોફ્ટવેર એન્જિનિયર હરિકૃષ્ણએ તેને બનાવામાં પ્રોત્સાહન કર્યું અને મદદ પણ કરી.