ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના મહાનગરોની સાથે હવે અન્ય જિલ્લાઓમાં પણ કોરોના પગપેસારો કરી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના મુખ્ય શહેર ગણાતા રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોનાને લઇને મૃત્યદરમાં પણ વધારો થયો હતો. સોમવાર સુધીમાં જ છેલ્લા 2 બે દિવસમાં 21 દર્દીઓના મૃત્યું થયા હતા.
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 70 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે.
રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં આવેલા 70 પોઝિટિવ કેસ સાથે અત્યાર સુધીમાં 1378 કુલ કેસ નોંધાયા છે. હાલમાં 710 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે રાજકોટમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 24 લોકોનાં મૃત્યું થયા છે.
ગઇકાલે ગુજરાતમાં એક જ દિવસમાં 1009 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 974 દર્દીઓ સાજા થઇ ઘરે ગયા હતા. રાજ્યમાં 83 દર્દીઓ વેન્ટિલટર પર છે, જ્યારે રાજ્યમાં કોરોનાથી એક જ દિવસમાં 22 દર્દીઓનાં મૃત્યું થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 64,684 છે, જ્યારે કુલ 14,614 કોરોના એક્ટિવ કેસ નોંધાયા છે. કોરોનાથી કુલ 2,509 દર્દીઓના મૃત્યું થયા છે, જ્યારે કુલ 47,561 દર્દીઓ સાજા થયા છે.