ગુજરાતમાં કોરોના વાયરસને લઇને પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ભાવનગર જાણે કોરોનાને લઇને હોટસ્પોટ બનતું હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે ફરી કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યાં છે. ત્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 110 સુધી પહોંચી ગઇ છે.
ભાવનગરમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યાં
34 વર્ષના મહિલા, 26 વર્ષના પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
બંને દર્દીઓ મૃતક વૃદ્ધના સંપર્કમાં આવ્યા હતા
ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો આંકડો 110 સુધી પહોંચી ગયો છે. ભાવનગરમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યાં છે. જેમાં 34 વર્ષના મહિલા, 26 વર્ષના પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યોં છે. બંને દર્દીઓ મૃતક વૃદ્ધાના સંપર્કમાં આવ્યાં હતા.
આમ ભાવનગર શહેરમાં જ કોરોના પોઝિટિવ સંખ્યમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરની વાત કરીએ તો પોઝિટિવ દર્દીઓની સંખ્યા 11 જોવા મળી છે. જ્યારે કોરોનાના કારણે ગુજરાતમાં અત્યાર સુદીમાં 11 લોકોનાં મોત થઇ ચુક્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 110 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદમાં 45, સુરતમાં 13 લોકોને કોરોના પોઝિટિવ છે, જ્યારે રાજકોટમાં 10, વડોદરામાં 9, ગાંધીનગરમાં 13 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યાં છે. જ્યારે ભાવનગરમાં 11, કચ્છમાં 1, મહેસાણામાં 1 રિપોર્ટ પોઝિટિવ, આવ્યો છે. જ્યારે ગીર-સોમનાથમાં 2, પોરબંદરમાં 3 કેસ કોરોના પોઝિટિવ છે, પંચમહાલમાં 1 અને પાટણમાં 1 રિપોર્ટ પોઝિટિવ છે. કોરોનાથી અત્યાર સુદીમાં અમદાવાદમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે સુરતમાં 2, વડોદરામાં 1, ભાવનગરમાં 2,પંચમહાલમાં 1 વ્યક્તિનું મોત થયું છે. રાજ્યમાં કુલ 13 લોકો કોરોના પોઝિટિવ બાદ સ્વસ્થ થયાં છે.