ગુજરાતમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા 24 કલાકમાં માત્ર એક પોઝિટવ કેસ સામે આવ્યો હતો, ત્યારે આજે સવારે ગોધરા ખાતે એક કોરોના દર્દીનું મોત થતાં ગુજરાતમાં મૃત્યુંઆંક 8 પર પહોંચી ગયો છે.
ગુજરાતમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયુ
ગોધરાના કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું
78 વર્ષના દર્દીની વડોદરામાં ચાલી રહી હતી સારવાર
ગુજરાતમાં વધુ એક કોરોનાના દર્દીનું મોત નિપજ્યું છે. ગોધરામાં કોરોના પોઝિટિવ એક દર્દીનું મોત થયું છે. 78 વર્ષના દર્દીની વડોદરા ખાતે સારવાર ચાલી રહી હતી.
જો કે ગોધરાનો આ રહેવાસી કોરોનાનો દર્દી હોવાને લઇને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પુષ્ટી પણ કરી છે. ગોધરાના અબ્દુલ હકીમ પટેલ કોરોનાને લઇને વડોદરા ખાતે સારવાર હેઠળ હતાં.
ગુજરાતમાં કોરોનાથી વધુ એક મોત થયુ છે. આ મોતને કારણે કોરોનાથી મોતનો આંકડો 8 પર પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 88 થઈ છે. ગુજરાતમાં ગઈકાલે કોરોનાનો એક જ કેસ પોઝિટિવ મળ્યો હતો. આવનારા ચાર પાંચ દિવસમાં ગુજરાતમાં આકંડા ઉપર નીચે થઈ શકે છે.
ગુજરાતમાં આમ તો ગઈકાલથી રાહતના સમાચાર મળી રહ્યાં હતાં કારણ કે સાંજ સુધી કોઈ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. પરંતુ આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિએ સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં વધુ એક કેસ પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. ભાવનગરમાં વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 88 પર પહોંચ્યો હતો. જ્યારે આજે કુલ 3 દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં તેમ કહ્યું હતું.