રાજ્યમાં કોરોના વાયરસ મહામારીએ કહેર મચાવ્યો છે. ત્યારે હવે ગુજરાત સરકારના મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકર કોરોના સંક્રમિત થયા છે. રમણ પાટકર રાજ્યની છેલ્લી કેબિનેટ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજ્યના બે ધારાસભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના વી. ડી. ઝાલાવડીયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા બંને નેતાઓ હાલ સારવાર હેઠળ છે.
ગુજરાત સરકારના મંત્રીઓ પણ કોરોનાની ઝપેટમાં
રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકર થયા કોરોના સંક્રમિત
રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં હવે રાજ્યમાં કોરોનાની ઝપેટમાં રાજકીય નેતાઓ પણ આવી રહ્યાં છે. આજે રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકર કોરોના સંક્રમિત થયા છે. હાલ પ્રાપ્ત મળતી વિગત અનુસાર રમણ પાટકર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે.
રાજ્યમાં કોરોનાની ઝપેટમાં નેતાઓ પણ આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી બાદ ગઇકાલે ગુજરાતના બે ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના વી. ડી. ઝાલાવડીયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે એનસીપીમાંથી રાજીનામું આપ્યાં બાદ ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને બે દિવસ પહેલા ડિસ્ચાર્જ કરાયાં હતા.