ગુજરાતમાં પણ કોરોના વાયરસે દસ્તક દીધી છે. દિનપ્રતિદિન ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં લૉકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઇ હવે પેટ્રોલ પંપોના સમયમાં ફેરફાર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
પેટ્રોલ પંપોના સમયમાં ફેરફાર કરવા માટે આદેશ
લૉકડાઉનની સ્થિતિને ધ્યાને રાખી સમયમાં કરાયો ફેરફાર
આવતીકાલથી પેટ્રોપપંપ 8 કલાક ચાલુ રાખી શકાશે
કોરોના વાયરસ અને લૉકડાઉનની સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ગુજરાતમાં આવતીકાલથી પેટ્રોપપંપ 8 કલાક ચાલુ રાખી શકાશે. ગુરૂવારથી પેટ્રોપ સવારે 8.00થી સાંજે 4.00 કલાક સુધી જ મળશે. આ નિર્ણયનું પાલન લૉકડાઉન રહે ત્યાં સુધી રહેશે. પેટ્રોલપંપને પુરતો સ્ટોક રાખવા માટે પણ સૂચન અપાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ અને પેટ્રોલ પંપ પણ ખુલ્લા રાખવાનું સરકારે જણાવ્યું હતું. ત્યારે હાલ ગુજરાતમાં લૉકડાઉનની સ્થિત છે ત્યારે પેટ્રોલપંપ તો ખુલ્લા રહેશે પરંતુ સાંજના 4 વાગ્યા બાદ પેટ્રોલ નહીં મળે.
જાણો શું ચાલુ રહેશે અને શું બંધ
શું-શું ચાલુ રહેશે
ડિફેન્સ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વીજળી ઉત્પાદન અને ટ્રાન્સમિશન યુનિટ, પોસ્ટ ઓફિસ, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર, પૂર્વાનુમાનની એજન્સી વગેરે
શાકભાજી, રેશનિંગ, દવા, ફળોની દુકાન ચાલુ રહેશે
બૅંક, ઈન્સ્યોરન્સ ઓફિસ, ATM
પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા
ઈન્ટરનેટ, બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ પણ ચાલુ રહેશે
ઈ-કોમર્સ દ્વારા દવા, મેડિકલ ઉપકરણની ડિલીવરી ચાલુ રહેશે