અમદાવાદ સહિત તમામ લોકો લોકડાઉનની જાહેરાત થઈ હોવા છતાં રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને કોરોના વાયરસમાં આઈસોલેટ થવાની કોઈ વાત ગંભીરતાથી લઈ જ નથી રહ્યા. ગુજરાતમાં 6 જિલ્લાઓ લોકડાઉન કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસની ચેઈન તોડવાને બદલે કેમ પુલ બનાવી રહ્યા છે લોકો?
ગુજરાતમાં લોકો લોકડાઉનની કરી રહ્યા છે ઐસીકી તૈસી
કોરોનાવાયરસની કોઈને ગંભીરતા નથી
ગુજરાતમાં 6 જિલ્લાઓમાં લોકડાઉન કરવામાં આવ્યુ હોવા છતાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ઘરમાં રહેવાની વારંવાર અપીલ કરવામાં આવી હોવા છતાં લોકો ઘરમાં નથી રહેતા. રસ્તા ઉપર ઉતરી આવેલા લોકને કેમ સમજાવવા તે તંત્ર માટે પણ માથાનો દુખાવો બની ગયુ છે.
કોરોના વાયરસની ચેઈન તોડવાને બદલે કેમ પુલ બનાવી રહ્યા છે લોકો?
ગુજરાતમાં 6 જિલ્લામાં લોકડાઉન આપ્યુ હોવા છતાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ભીડ એકઠી ન કરવાને બદલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતાના ગુજરાતમાં તમામ લોકો ઘરમાં લોકડાઉન થઈ જવાને બદલે ખુલ્લે આમ રોડ ઉપર ઉતરી આવ્યા છે.
ગુજરાતના છ મહાનગરોને સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25મી માર્ચ સુધી તમામ પાર્ક અને ગાર્ડન, AMTS-BRTS, ખાનગી ઓફિસો, તમામ ઉદ્યોગો-ફેક્ટરીઓ, હોટલો અને રેસ્ટોરન્ટને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા છે. માત્ર દૂધ-શાકભાજી, કરીયાણા અને દવાની દુકાનો જ ચાલુ રહેશે.
અમદાવાદમાં ઉદ્યોગ બંધ રાખવાની અપાઈ છે સૂચના
અમદાવાદમાં 25 માર્ચ સુધી લોકડાઉન જારી કરવામાં આવ્યું છે. તો સાથે જ ઉદ્યોગ બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. GCCI દ્વારા તમામ GIDCના ઉદ્યોગકારોને સૂચન અપાઇ છે. કોરોના વાયરસના કારણે સુરક્ષા પગલાં માટે તમામ ઉદ્યોગ બંધ રાખવા ઉદ્યોગકારોએ સમર્થન કર્યું છે.
લોકડાઉન શું હોય?
લૉકડાઉન એટલે કોઈ શહેરમાં તમામ એકમો બંધ કરી દેવા
મહત્વના કામ વિના ઘર બહાર નીકળવા પર હોય છે પ્રતિબંધ
જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે જ ઘર બહાર જઈ શકાય
અનાજ, ઔષધિ, હોસ્પિટલ, બેંક જેવા કાર્યો માટે જ બહાર નીકળી શકાય
સ્કૂલ, કોલેજ, જીમ, સ્વિમિંગ પુલ, થિયેટર, મોલ કરવામાં આવે છે બંધ
જાહેર સ્થળો, ગાર્ડન, મંદિર, પર્યટક સ્થળો કરવામાં આવે છે બંધ
ઓફિસોને પણ બંધ કરી દેવાનો લેવાય છે નિર્ણય
APMC માર્કેટ પણ બંધ કરી દેવામાં આવે છે
રાજ્યમાં કોરોનોનાનો વધતો કહેર, પાંચ દિવસમાં કોરોનાના 29 કેસ