ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હિંમતનગર જિલ્લામાં કોરોના દર્દીઓનો છેલ્લા ઘણા સમયથી આંકડો વધી રહ્યો છે. ત્યારે ઇડર કોરોના કેસમાં વધારો જોવા મળતાં આજથી એક અઠવાડિયાનું સ્વયંભુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
હિમતનગરમાં કોરોના કેસમાં વધારો
ઇડરમાં આજથી એક સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન
દૂધ-શાકભાજીની દુકાનો સવારે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે
રાજ્યમાં વધતા કોરોના કહેર વચ્ચે કેટલાંક શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી રહ્યાં છે. જો કે હાલમાં કોરોનાને લઇને ફરીથી લોકડાઉન લાગવા પર સરકારે સ્પષ્ટતા કરી દીધી છે. સરકારે જણાવ્યું હતું કે હાલમાં કોઇ લોકડાઉનની વિચારણા નથી.
ત્યારે રાજ્યના હિંમતનગરના ઇડરમાં કોરોનાના કેસ વધતા લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને ઇડરમાં આજથી સ્વયંભૂ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
ઇડરમાં આજથી એક સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન જોવા મળશે. આ લોકડાઉનમાં દૂધ-શાકભાજીની દુકાનો સવારે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. આ સ્વયંભૂ લોકડાઉન સોમવારથી શનિવાર દરમિયાન રહેશે.