ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપ વચ્ચે લોકડાઉન 4.0નો અમલ આવતી કાલથી શરૂ કરવામાં આવી રહ્યો છે. આ સાથે લોકડાઉન-4 માં રાજ્યોને વધુ અધિકારો અપાયાં છે. જેમાં રાજય સરકાર દ્વારા ઈન્ટર સ્ટેટ બસના સંચાલન પર નિર્ણય લઈ શકશે. લોકડાઉનનું પાલન કરાવાની જવાબદારી રાજ્યોને અપાઈ છે. ત્યારે ગુજરાતમાં આવતી કાલથી અનેક જિલ્લાઓમાં ST બસની સુવિધાઓ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કેન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં નિયમોનુસાર સીટી બસની સુવિધા પણ શરૂ કરવામાં આવી શકે છે. જો કે આજે સાંજ સુધીમાં ગુજરાત સરકાર દ્વારા ST મામલે નવી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
લોકડાઉન 4.0 માં ST બસ શરૂ કરાય તેવી શક્યતા
વડોદરામાં લોકડાઉન 4 માં શરૂ થઈ શકે છે સિટી બસ
લોકડાઉન 4.0 દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ST બસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારથી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. તંત્ર દ્વારા ST વિભાગની તમામ બસને સેનેટાઈઝ કરવામાં આવી રહી છે. આ સાથે લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
આ સાથે દેશમાં લોકડાઉન 4.0ને લઇને સરકાર દ્વારા જાહેર કરાયેલ અધિસુચના મુજબ રાજ્ય સરકારો દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે.
ગુજરાતમાં સરકાર દ્વારા એરપોર્ટ અને રેલવે સ્ટેશન બાદ ST બસ સ્ટેન્ડ પર પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને લઇને સરકાર દ્વારા લોકડાઉન 4.0 માં તમામ પ્રકારની તકેદારી સાથે સાવચેતીના પગલા સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
વડોદરામાં લોકડાઉન 4.0 માં શરૂ થઈ શકે છે સિટી બસ
વડોદરામાં લોકડાઉન-4માં સિટી બસ સેવા શરૂ થઇ શકે છે. સિટી બસ મથક પર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ દોડાવાશે. આ સાથે વતન ગયેલા ડ્રાઇવરો અને કર્મચારીઓને સાંજ સુધી પરત બોલાવાશે. 35 મુસાફરોની બસમાં 20 મુસાફર જ બેસાડાશે. બસના ડ્રાઇવરોને તમામ સુવિધા અપાશે.
અમદાવાદમાં પણ AMTS બસની સુવિધા શરૂ કરાય તેવી સંભાવના
ગુજરાતમાં લોકડાઉન 4.0 દરમિયાન કેવી રીતે અને ક્યાં ઝોનમાં કેવી છૂટછાટ આપવી તે અંગે આજે સાંજ સુધીમાં નિર્ણય લઇ નવી ગાઇઉડલાઇન બહાર પાડવામાં આવી શકે છે. જેને લઇને અમદાવાદમાં સીટી બસ સેવા ( AMTS ) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.