ગુજરાતમાં જ્યાં કોરોના કહેર વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા રાજ્યના સરકારી કર્મચારીઓ અને ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરી છે. સીએમના સચિવ અશ્વિની કુમારે કોરોનાને લઇને કામ કરી રહેલા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 25 લાખના વીમાની જાહેરાત કરી છે.
સરકારી કર્મચારીઓ માટે 25 લાખના વીમા કવચની જાહેરાત કરાઈ
કોઈ કર્મચારીનું અવસાન થશે તો પરિવારને 25 લાખની સહાય અપાશે
રાજ્યના 40 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવાયા
ગુજરાતના મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાતને લઇને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ સતત જનતા માટે કામ કરી રહ્યા છે, રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે 25 લાખના વીમા કવચની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કોઈ કર્મચારીનું અવસાન થશે તો પરિવારને 25 લાખની સહાય અપાશે.
જ્યારે ખેડૂતો માટે સહાયની જાહેરાત મામલે CMના સચિવ અશ્વિની કુમારે નિવેદન આપતા કહ્યું કે રાજ્યના 40 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવાયા છે. રાજ્યના 40 લાખ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા કરાવાયા છે. આ સાથે સરકારે ખેડૂતોના ખાતમાં 800 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.
કોરોનાના કહેર વચ્ચે પુરવઠાને લઈને CMના સચિવનું નિવેદન આપતાં કહ્યું કે આજે રાજ્યમાં 1 લાખ 14 હજાર ક્વિન્ટલ શાકભાજીની આવક થઈ છે. અમદાવાદ APMCને જેતલપુરમાં શિફ્ટ કરવામાં આવી છે. આજે 20 હજાર 807 ક્વિન્ટલ ફળોની આવક થઈ છે. આજે 46 લાખ 45 હજાર દૂધનું વિતરણ થયું છે. રાજ્યમાં શાકભાજી અને દૂધની અછત નહી સર્જાય