કોરોના સંકટ / ગુજરાતમાં હજારો દર્દીઓની સંખ્યા છુપાવવા, કોરોનાના ટેસ્ટ ઘટાડાયાઃ ધાનાણી

coronavirus gujarat government congress leader paresh dhanani

સમગ્ર ગુજરાતને કોરોનાએ બાનમાં લીધું છે. દેશની રાજધાની અને ખુબ જ ગીચ વસતિવાળા દિલ્હી કરતાં પણ ગુજરાતમાં વધુ કેસ નોંધાત ચિંતાનો માહોલ વધ્યો છે. જો કે રૂપાણી સરકાર અને આરોગ્ય સચિવ તો જાણે હજુય સબ સલામત હોય તેવી વાતો કરી રહ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરેલી ટ્વિટ ખુદ સરકારને શંકાના દાયરમાં ઉભી રાખે છે. ધાનાણીનું કહેવું છે કે ગુજરાતમાં વણ નોંધાયેલાં હજારો કોરોનાના દર્દીઓ છે. પરંતુ ટેસ્ટ ઘટાડી સરકાર આંકડાઓ છુપાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ