રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સૌથી વધુ કોરોનાના કેસ મહાનગરોમાં નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. IAS કક્ષાના 8 અધિકારીને જવાબદારી સોંપી છે.
8 મનપામાં વકરતી કોરોનાની સ્થિતિ
IAS કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે સોંપી જવાબદારી
8 મનપા માટે સોંપવામાં આવી જવાબદારી
રાજ્ય સરકારે 8 મનપામાં વકરતી કોરોનાની સ્થિતિને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા માટે IAS કક્ષાના 8 અધિકારીને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી જવાબદારી સોંપી છે. કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. મૂળ કામગીરી ઉપરાંત . વિવિધ જિલ્લાઓમાં કોવિડ કેર સેન્ટરમાં તબીબી કામગીરીનું સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
24 કલાકમાં કોરોનાના 2875 કેસ સાથે 2024 દર્દીઓ થયાં સાજા
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2875 કેસ નોંધાયા છે અને 2024 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,98,737 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 14 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 664 કેસ અને ગ્રામ્યમાં 123 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 545 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 179 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 309 કેસ, જ્યારે ગ્રામ્યમાં 58 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 233 કેસ અને ગ્રામ્યમાં 43 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...