ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હાલ રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે સુરત શહેરમાં વધતા કોરોનાના કેસો વચ્ચે સારા સમાચાર આવ્યાં છે. શહેરની સિવિલ હોસ્પિટલના 73 તબીબો કોરોના મુક્ત થયા છે.
સુરતમાં કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર
સિવિલ હોસ્પિટલના 73 તબીબો થયા કોરોના મુક્ત
તબીબો કોરોનાને હરાવી ફરીથી ફરજ પર થયા હાજર
ગુજરાતમાં વધતા કોરોના કહેર વચ્ચે સુરત શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવેલા જોવા મળ્યાં છે. જો કે આ વચ્ચે સુરત શહેરમાંથી રાહતના સમાચાર સામે આવ્યાં છે. જેમાં સિવિલ હોસ્પિટલના 73 તબીબો કોરોના મુક્ત થયા છે.
સુરત શહેરમાં કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર આવી રહ્યાં છે. શહેરની સિવિલ હોસ્પિટલના 73 તબીબો કોરોના મુક્ત થયા છે. 73 તબીબો કોરોનાને હરાવી ફરીથી ફરજ પર થયા હાજર થયા છે.
40 નર્સિંગ સ્ટાફ પણ કોરોનાથી મુક્ત થઇને ફરજ પર પરત ફર્યા છે. સિવિલ હોસ્પિટલના 93 તબીબો કોરોનાથી સંક્રમિત થયા હતા. 80 જેટલા નર્સિંગ અને અન્ય સ્ટાફ આવ્યા હતા કોરોનાથી સંક્રમિત થયા હતા. કોરોનાથી સુરતમાં નર્સિંગ સ્ટાફના બે લોકોના મૃત્યુ થયાં.