કોરોના વાયરસને લઇને કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આવતીકાલથી લૉકડાઉનની અમલવારી થવાની છે ત્યારે સતત હળવી ટીખળ માટે સતત જાણીતા પરેશ ધાનાણીએ ફરી એકવાર રાજ્ય સરકાર પર ટ્વીટ કરીને હળવા મૂડમાં કટાક્ષ કરી હતી.
લોકડાઉન 4.0 મુદ્દે પરેશ ધાનાણીનું ટ્વીટ
ગઇકાલે પુરુ લેશન કર્યું ન હતું - ધાનાણી
લેશન પુરુ ન ક્યું હોવાથી ધોખાનો દિવસ નડ્યો - ધાનાણી
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન 4.0 મુદ્દે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર સોશિયલ મીડિયા દ્વાર પ્રહાર કર્યા હતાં. તેમણે ટ્વીટ કરીને સરકારની નવી ગાઇડલાનના વિલંબ પર હળવી ટીખળ કરી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યુ છે કે ગઇકાલે પુરુ લેશન કર્યું ન હતું. લેશન પુરુ ન ક્યું હોવાથી ધોખાનો દિવસ નડી ગયો હતો.
"નવા લોકડાઉનને નડ્યો ધોખો"
આજે 'લોકડાઉન' 3.0 અને
4.0 વચ્ચે "ધોખા"નો દિવસ
છે કારણ કે..,
ગઈકાલે પુરુ લેશન કર્યુ નહોતું,
હવે નવું લેશન કરીને આવીશુ.!
લી. ગુજરાત સરકાર
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી આ પહેલા પણ વારંવાર સરકાર પર હળવા તથા આકરા પ્રહારો કરતા આવ્યા છે. ત્યારે આજે ફરી એકવાર લૉકડાઉન-4ને લઇને સરકાર પર તેમણે હળવો કટાક્ષ કર્યો હતો.
CM રૂપાણીએ લૉકડાઉન 4.0 મુદ્દે યોજી છે બેઠક
મુખ્યમંત્રી CM રૂપાણીએ આજે રાજ્યના મનપા કમિશ્નર સાથે લૉકડાઉનમાં છૂટછાટને લઈને રિવ્યુ મીટિંગ કરી હતી. જેમાં ખાસ કરીને બફર અને કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં તમામ દુકાનો ખોલાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. જીવન જરૂરિયાત સિવાયની દુકાનો પણ ખોલાશે તેમ જાણવા મળી રહ્યું છે.
4 મહાનગરપાલિકામાં સવારે 8થી બપોરે 3 સુધી ખુલ્લી રહી શકશે દુકાનો
મનપા વિસ્તારમાં કેટલી છૂટછાટ અપાય તે માટે આજે મુખ્યમંત્રીએ મનપા કમિશ્નર સાથે ચર્ચા કરી હતી. જેમાં રિટેલ અને હોલસેલની દુકાનો પણ ખોલવા માટે મંજૂરી અપાઈ શકે છે. સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી આ દુકાનો ખુલ્લી રહી શકાય તેવું મીટિંગમાં નિર્ણય લેવાયો હોય તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. આવામાં જાણીએ કે અમદાવાદ સહિત ચાર મહાનગરપાલિકામાં લૉકડાઉન 4માં કેવા પ્રકારની છૂટછાટ અને રાહતો મળી શકે તેમ છે