કોરોના મુદ્દે કોંગ્રેસે ફરી સરકાર પર પ્રહાર કર્યા છે.
કોરોના મુદ્દે કોંગ્રેસના સરકાર પર પ્રહાર
"કોરોનામાં સરકારે લોકોને ભગવાન ભરોસે છોડ્યા"
"સરકાર છૂપાવે છે મોતના આંકડા"
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, કોરોનામાં જનતાને આશા હતી કે ભાજપ સરકાર મદદ કરશે. પરંતુ ભાજપ સરકારે કોરાનામાં લોકોને ભગવાન ભરોસે છોડ્યા. ટેસ્ટિંગથી લઇ સુવિધા મેળવવા લોકો પરેશાન થઇ ગયા હતા અને સરકારમાં બેઠેલા લોકો મુક પ્રેક્ષક બની બેસી રહ્યાં હતા.
ગુજરાતમાં કોરોનાથી 3 લાખથી વધુ થયાં છે મોત
ગુજરાતમાં કોરોનાથી 3 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ સરકાર માત્ર 10 હજાર જ મૃત્યુ ગણાવે છે. કોંગ્રેસે ન્યાય યાત્રા કરી માહિતી મેળવી હતી. સરકાર આંકડા છૂપાવે છે.સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ 4 લાખની સહાય આપવી જોઇએ. ભાજપ સરકાર પાસે ઉત્સવો અને તાયફાઓ માટે બજેટ છે.
મૃતકને સહાય ચૂકવવા બજેટ નથી
પરંતુ કોરોનાના મૃતકને સહાય ચૂકવવા બજેટ નથી. સરકાર માત્ર 50 હજાર જ સહાય આપવાની વાત કરે છે. રાહુલ ગાંધી પણ 4 લાખની સહાયની માંગ કરી રહ્યાં છે. કોંગ્રેસ 4 લાખ રૂપિયાની સહાય અપાવવા અભિયાન ચલાવશે. સરકારે મૃતકોના પરિવારને 4 લાખ સહાય ચૂકવવી પડશે.