કોરોના સંક્રમણ વધતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જ્યાં તેમણે હાઇકોર્ટના વિકેન્ડ કર્ફ્યૂના નિર્દેશને લઈને પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, એડવોકેટ જનરલ સાથે ચર્ચા કરીને પ્રજાના હિતમાં નિર્ણય લેવાશે.
રાજ્યમાં કોરોનાના કેસ વધતા એક્શન મોડમાં રૂપાણી સરકાર
સુરતમાં પ્રેસ કોન્ફરન્સને કર્યું સંબોધન
CM રૂપાણીએ કહ્યું- પ્રજા ચિંતા ન કરે, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો નિર્ણય લેવાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોરોનાનો કહેર વધ્યો છે, ગુજરાતમાં પણ સંક્રમણ વધ્યું છે. 4 મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં ટોટલ કેસના કેસ આ ચાર મહાનગરોમાં જોઇ રહ્યા છીએ. અન્ય જિલ્લાઓમાં પણ કેસ વધ્યા છે. 1 વર્ષથી પ્રજાના સહકારથી કોરોના સામે લડ્યા અને સંઘર્ષ કરતા આવ્યા છીએ.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 6, 2021
લોકોના હિતમાં અમે નિર્ણય કરીશું : CM
CM રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટના નિર્દેશ અંગે ચર્ચા થઇ છે, આ મુદ્દે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સાથે વાતચીત થઇ છે. આજે રાત્રે વકિલ તરફથી હાઇકોર્ટના નિર્દેશ મામલે સમગ્ર રિપોર્ટ મળશે. ત્યારબાદ કોર ગ્રુપ આ મામલે ચર્ચા કરશે. ત્યારબાદ નિર્ણય લેવાશે. આ સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇ ડિટેઇલ વધુ નથી મારી પાસે. લોકો ચિંતા ન કરે. સરકારનો સ્પષ્ટ અભિગમ છે, કોરોના સામેના સંઘર્ષમાં કોઇ પીછેહઠ થશે નહીં. લોકોને તકલીફ ન પડે અને કોરોના પણ લોકોને ન થાય તે પણ અમારી જવાબદારી છે. લોકોના હિતમાં અમે નિર્ણય કરીશું.
કોરોનાથી ગભરાવાની જરૂર નથી : CM
પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા CM રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, જે રીતે દેશભરમાં કોરોનાનું વાતાવરણ છે તે જોતા લાગે છે કે, હજુ પણ કેસ વધશે. તેનાથી આપણે ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે. હાલ દરરોજ 4 લાખથી વધુનું વેક્સિનેશન કરી રહ્યા છીએ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 70 લાખ લોકોને વેક્સિન આપી ચૂક્યા છીએ. આપણા હાથમાં હથિયાર છે, વેક્સિન છે, લોકો વેક્સિન લગાવે તે જરૂરી છે.
100 સંજીવની રથની કરાઇ છે વ્યવસ્થા
આ સાથે જ કહ્યું કે, દર્દી માત્ર એક કોલ કરશે તો 104 તરફથી વાન પહોંચી જશે અને ચેક કરીને ટ્રિટ મેન્ટ શરૂ થઇ જશે. 50 સંજીવની રથ વધારીને 100 સંજીવની રથ થાય તેવી વ્યવસ્થા કરી છે. હોસ્પિટલમાં ઝડપથી બેડ મળી જાય તે અંગે આજે સુરતમાં યોજાયેલી બેઠકમાં જે ચર્ચા કરી છે તેમાં 3-4 નિર્ણય લેવાયા છે. જેમાં સુરતમાં ખાનગી નર્સિંગો 10-20 બેડ નર્સિંગ ચલાવે છે તેમને પણ કોવિડ કેર ચલાવવાની મંજૂરી આપી છે. ત્યાં આઇસીયૂ ન હોય અને ટ્રિટ મેન્ટ આપે, જેમ કોવિડ રજિસ્ટ્રર હોસ્પિટલ છે ત્યાં બેડ રોકાય નહીં અને ત્યાં અલગ ટ્રિટમેન્ટ થાય એટલા માટે આ છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
800 બેડ હોસ્પિટલમાં બેડ વધારવાનો લીધો નિર્ણય
800 બેડ હોસ્પિટલમાં બેડ વધારીએ છીએ. 300 નવા વેન્ટિલટર મળશે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં અછત ન પડે.સાથે રેમડેસિવીર ઇન્જેક્શન કોવિડનો ઇલાજ કરે છે. તેની માંગ અને સોર્ટેજ છે. તો રાજ્ય સરકારે ગઇકાલે 3 લાખ રેમડેસિવીર ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. ગુજરાતમાં જ કેડિલા ઝાયડસ કંપની બનાવે છે. ત્યાંથી સપ્લાઇ શરૂ થઇ ચૂક્યું છે. કાલથી નિયમિત મળતા થશે.
લોકો ઓછા સંક્રમિત થાય અને ઓછા મોત થાય તેવા પ્રયાસ કરાઇ રહ્યા છે : CM
કોરોના સામે સરકાર પણ સંપૂર્ણ પણે જાગ્રૃત હોવાની વાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. જે રીતે દર્દી અને મૃત્યુના આંકડા વધી રહ્યા છે. ત્યારે લોકો ઓછા સંક્રમિત થાય અને ઓછા મોત થાય તેવા સરકાર પ્રયાસ કરી રહી છે. બાળકોમાં કોરોના ફેલાયો છે. બાળકોને આ પ્રકારની સારવાર મળી રહે તે માટે શાળા-કોલેજો બંધ કરી દીધી છે. હજુ પણ હું કહું છું કે જરૂર પડતા જ કામ માટે આપણે બહાર નિકળવું. આપણે બચીને રહેવું જોઇએ. તેમાં સૌનું કલ્યાણ છે.આજે સ્ટાફ, ડૉક્ટર અને સાફ સફાઇ સહિતની તમામ સ્ટાફ ભરવાની અમે મંજૂરી આપી દીધી છે.
સુરતમાં મુખ્યમંત્રી રૂપાણીએ યોજી હતી બેઠક
સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને મહત્વની બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની બેઠક પહેલા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ નવસારીથી સીધા મુખ્યમંત્રી રૂપાણી પહોંચ્યા હતા. અહીં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી હતી.