ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. અમદાવાદમાં કોરોના વાયરસની સ્થિતિ વધારે ગંભીર છે કારણ કે, અહીં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે ભાજપના એક કાર્યકર્તની સ્થિતિ લૉકડાઉન કફોડી બની હોવાનો વીડિયો સામે આવ્યો છે. જો કે, આ ઘટના બાદ ભાજપના શહેર પ્રમુખે ખુલાસો કર્યો હતો.
કોરોના મહામારીમાં BJP કાર્યકર્તાની સ્થિતિ કફોડી
ભાજપના કાર્યકર્તા કલા વઢીયારીનો વીડિયો આવ્યો સામે
શહેર ભાજપ પ્રમુખે જગદીશ પંચાલે કર્યો ખુલાસો
અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે સેવા આપતા કલા વઢીયારી નામના કાર્યકર્તાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓએ લૉકડાઉનને કારણ કફોડી બનેલી પોતાની સ્થિતિની વાત કરી હતી. તો આ અંગે ભાજપ નેતા જગદીશ પંચાલે ખુલાસો કર્યો હતો.
ભાજપ નેતાએ વીડિયો બાબતે કર્યો ખુલાસો
અમદાવાદમાં ભાઇપુરાના ભાજપ કાર્યકર્તાના વાયરલ થયેલા વીડિયો મામલે શહેર પ્રમુખ જગદીશ પંચાલે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગંદી રાજનીતિ કરી રહી છે આ સાથે જ કોંગ્રેસે કલાભાઈને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને ખેસ પહેરાવી બાદમાં દાવો કર્યો છે. તો તેમણે વધુમાં જણાવ્યું કલાભાઇને કોઇ ખાવાનું ખૂટવાનો પ્રશ્ન નથી, તેમની પાસે APL કાર્ડમાં પણ રાશન મળ્યુ છે તથા BJP નેતાઓ દ્વારા પણ 2 કીટ અપાઇ છે તો આ સાથે જ કલાભાઇ ભાજપના જ કાર્યકર્તા છે કે નહીં તે પણ એક પ્રશ્ન અકબંધ છે.
ભાજપના જ કાર્યક્રતાની કફોડી બની હાલત
તેમણે હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી અમરાઇવાડી વિસ્તારમાં કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યો છું. આ લૉકડાઉનમાં હવે તો ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે તો પક્ષમાંથી પણ કોઇ મદદ ન કરતું હોવાની વાત કબૂલી હતી. સ્થાનિકોના ઘરમાં શાકભાજી, કરિયાણું જેવી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ખુટી જતી લોકો કોર્પોરેટરના કાર્યાલય પર પહોંચ્યા હતા અને કાર્યાલય પર ધસી ગયા હતા અને ભોજનની માગ સાથે સૂત્રોચ્ચાર કરતા રસ્તા પર બેસી ગયા હતા.
ગઇકાલે અમરાઇવાડી વિસ્તારના રહીશોએ કોર્પોરેટરના કાર્યાલય પર કર્યો હતો હોબાળો
કોરોનાના વધી રહેલા કેસને કાબૂમાં લેવા માટે 15 તારીખ સુધી બધી જ સેવાઓ બંધ કરાતા આજરોજ અમરાઇવાડી વિસ્તારના લોકોએ સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડના કાર્યાલય પર હોબાળો મચાવ્યો હતો.
ગુજરાતમાં કોરોના બન્યો છે બેકાબૂ
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. અત્યારે સુધીમાં રાજ્યમાં કોરોનાના 8 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે તો અમદાવાદમાં કોરોનાના દર્દીની સંખ્યા 5 હજારને પાર પહોંચી છે.