ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા જે-તે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા જે - તે પ્રમાણમાં વધતી જોવા મળે તો તે વિસ્તારને અલગ-અલગ ઝોન તરીકે જાહેર કરે છે. હાલમાં રાજ્યના બનાસકાંઠાના થરાદ તાલુકાના નારોલી ગામમાં સંક્રમણ વધતાં આ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે. આમ કોરોનાનું સંક્રમણ હવે શહેરો તરફથી ગામડાઓ તરફ જોવા મળી રહ્યું છે.
થરાદ તાલુકાના નારોલી ગામમાં કોરોનાનો સંક્રમણ વધ્યો
પોઝિટિવ કેસ નોંધાતા વિસ્તારને કરાયો જાહેર કરાયો બફર ઝોન
ગુજરાતમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને લઇને વિસ્તારોનો અલગ-અલગ ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે. રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકના નારોલી ગામમાં કોરોનાનો સંક્રમણ વધતો જોવા મળી રહ્યો છે. નારોલી ગામમાં પોઝિટિવ કેસ નોંધતા વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
નારોલી ગામની બાજુના રડકા,બેટાલિયા, કરબૂણ, આજાવાડા ગામોને સીલ કરવામાં આવ્યાં છે. જો કે લોકડાઉન સાથે બફર ઝોન જાહેર કરવામાં આવતા લોકોને આવશ્યક ચીજ વસ્તુઓ ઘર સુધી પહોંચાડવાની તંત્રએ કામગીરી હાધ થરી છે.
નારોલી ગામના જે વિસ્તારને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે તે વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સાથે દરેક ગામોમાં જરૂરી સામાન લઇ જવા માટે એક માર્ગ ખુલ્લો રાખવામાં આવશે. આ સાથે મેડિકલ ઇમરજન્સી સિવાય તમામ લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે.