દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના વાયરસના કારણે દિવસેને દિવસે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે વિવિધ જગ્યાએ આ વાયરસથી બચવા માટે ઉપાયો કરવામાં આવી રહ્યા છે, જેમાં ઘણા લોકો ઘરની બહાર આવતા જતા પહેલાં શરીર પર દવાનો છંટકાવ કરે છે. જેના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવેલ છે તથા તેને શારીરિક અને માનસિક રૂપથી હાનિકારક પણ કહેવામાં આવ્યું છે.
વિવિધ જગ્યાએ વ્યક્તિઓના શરીર પર દવા છાંટવાના બનાવ
મંત્રાલયે કહ્યું આ પ્રક્રિયામાં ખૂબ કાળજી રાખવાની જરૂર
રાસાયણિક છંટકાવ શારીરિક તથા માનસિક રૂપથી નુકસાન પહોંચાડે છે
દવાના છંટકાવથી કોઈ ફાયદો નથી
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું કે જો કોઈ વ્યક્તિના શરીરમાં કોરોના વાયરસ આવી ગયો છે તો દવાઓ છાંટી દેવાથી કોરોના વાયરસ જતો રહેવાનો નથી. મંત્રાલયે કહ્યું કે આનું કોઈ જ વૈજ્ઞાનિક પ્રમાણ ઉપલબ્ધ નથી કે જેનાથી પુષ્ટિ થાય કે આમ કરવાથી શરીરનો બહાર ભાગ સંક્રમણથી મુક્ત થઇ જાય છે.
કેમ જાહેર કરવી પડી એડવાઈઝરી
મંત્રાલયે કહ્યું કે કોરોના સંક્રમણથી બચવા માટે સોડિયમ હાઈપોકલોરાઈટ જેવી દવાઓનો છંટકાવને લઈને ઘણા બધા સવાલ અવ્યા હતા તથા વિવિધ જિલ્લાઓમાં આ દવાઓના છંટકાવનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તથા મીડિયામાં પણ આ વિષયને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
શારીરિક અને માનસિક નુકસાન
મંત્રાલયે કહ્યું આ પ્રક્રિયામાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ અને સમૂહ પર કોઈ પણ સંજોગોમાં દવાનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવતી નથી. કોઈ પણ વ્યક્તિ કે સમૂહ પર રાસાયણિક છંટકાવ શારીરિક તથા માનસિક રૂપથી નુકસાન પહોંચાડે છે.