મહામારીના સમયમાં જો નાની ભૂલ કરશો તો પણ નુકસાન થશે, સંક્રમણથી બચવા અને ઈમ્યુનિટીને બૂસ્ટ કરવા સરકારે જાહેર કરેલી ચીજોને આજથી જ ડાયટમાં કરી લો સામેલ.
ડાયટમાં સામેલ કરો આ ચીજો
ઈમ્યુનિટી વધવાની સાથે થશે અનેક ફાયદા
સરકારે જાહેર કર્યું છે ખાસ ચીજોનું લિસ્ટ
કોરોના મહામારીમાં બચી રહેવા માટે હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે થોડી બેદરકારી પણ નુકસાન કરી શકે છે. સંક્રમણથી બચવા માટે ઈમ્યુનિટી બૂસ્ટ કરનારી ચીજોનું સેવન લાભદાયી રહે છે. મહામારીના સમયમાં ખાન પાન અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવવો જરૂરી છે. એક્સપર્ટ્સ શરૂઆતથી ઇમ્યુનિટી વધારવા પર ભાર મૂકી રહ્યા છે.
આ ચીજોની મદદથી ઈમ્યુનિટી થશે બૂસ્ટ
ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે લોકો અનેક ચીજો ખાઈ રહ્યા છે. ભારત સરકારે પણ ટ્વિટર પર ઈમ્યુનિટી વધારનારી ચીજોનું લિસ્ટ શેર કર્યું છે. સાથે કોરોનાના દર્દીએ શું કરવું અને શું નહીં તેની ગાઈડલાઈન પણ જાહેર કરી છે.
વિશેષજ્ઞોના અનુસાર કોરોનાના દર્દીઓએ એ ચીજોનું સેવન કરવું તે માંસપેશીઓ અને ઇમ્યુનિટી વધારે છે. આ પ્રકારની ચીજો ખાવાથી શરીરમાં એનર્જી બની રહે છે. કોરોનાના દર્દીને ડાયટમાં રાગી, ઓટ્સ, ચિકન, ફિશ, ઈંડા, સોયા અને નટ્સનું પ્રમાણ વધારે આપવું. ગાઈડલાઈન અનુસાર કસરત અને યોગા તથા શ્વાસની કસરતનું મહત્વ પણ વધારે ગણાવાયું છે.
હળદર વાળું દૂધ
ઈમ્યુનિટી વધારવા માટે સરકારની ગાઈડલાઈનમાં હળદર વાળા દૂધનો સમાવેશ કરાયો છે. તે દર્દમાં રાહત આપે છે અને શરીરમાં ઇમ્યુનિટીને બેલેન્સ કરે છે.
ડાર્ક ચોકલેટ
ઈમ્યુનિટી વધારવા માટે ડાર્ક ચોકલેટનું સેવન કરો. તેમાં 70 ટકા કોકો હોય છે જે સ્ટ્રેસ દૂર કરે છે. તેને ખાવાથી તમારો મૂડ સારો રહે છે. કોકો બ્લડ સર્ક્યુલેશન વધારે છે. તેમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જે મગજમાં એન્ડોર્ફિન અને સેરોટોનિન વધારવામાં મદદ કરે છે.
ઓટ્સ
ઓટ્સ પણ હેલ્થને ફાયદો આપે છે. તમે તેને અલગ અલગ રીતે ખાઈ શકો છે. એક રિસર્ચ અનુસાર 1.5-6 ગ્રામ ફાઈબર બ્રેકફાસ્ટમાં ખાવાથી આખો દિવસ એનર્જી મળી રહે છે. આ બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે.