ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનના પગલે સામાજિક સ્વૈચ્છિક સંસ્થા, ટ્રસ્ટ તેમજ અન્ય લોકો દ્વારા ગરીબ લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી મદદ કરવામાં આવી રહી છે. ત્યારે ગોંડલ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખને પોલીસ દ્વારા માર મારવાના મામલે PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગોંડલ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખને પોલીસ દ્વારા મારનો મામલો
કોરોનાના પગલે રાજ્યભરમાં જ્યાં માનવસેવા દ્વારા ગરીબ લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓને પહોંચાડી મદદ કરવામાં આવી રહી છે. ત્યારે ગોંડલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ રાજ્યગુરૂ ગોંડલથી એમ્બ્યુલન્સમાં એક શ્રમિકનો મૃતદેહ રાજકોટ લઇ જઇ રહ્યાં હતા. ત્યારે હાઇવે પર શહેરની નજીક ગ્રામ્ય પોલીસ દ્વારા ચાલકને માર મારવાની ઘટના સામે આવી હતી.
જો કે એમ્બ્યુલન્સના ચાલકને માર માર્યા બાદ પણ ચાલકે મૃતદેહને રાજકોટ સુધી પહોંચાડ્યો હતો અને ત્યારબાદ ગોંડલ પરત ફરી હોસ્પિટલમાં પોતાની સારવાર લીધી હતી. જો કે આ મામલાની જિલ્લા પોલીસ વડાને જાણ થતાં તપાસના આદેશ આપ્યાં હતા.
આમ જિલ્લા વડાના આદેશ બાદ ટ્રસ્ટ પ્રમુખ પ્રફૂલ રાજ્યગુરુને માર મારનાર PSI ધામાને CP મનોજ અગ્રવાલે સસ્પેન્ડ કર્યા છે. આ સમગ્ર મામલો ACP ને તપાસ માટે સોંપવામાં આવ્યો હતો.