આર્થિક બાબતોના નિષ્ણાત રુચિર શર્મા કહે છે કે જો આવતા એક મહિનામાં કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં નહીં આવે તો વર્ષ 2008-09 જેવી વૈશ્વિક આર્થિક મંદી આવશે. જેના કારણે અર્થતંત્રને મોટો ફટકો પડશે.
કોરોનાથી અર્થવ્યવસ્થાને પડશે મોટો ફટકો
એક ટકા ઈકોનોમી ઘટવાની શંકા
6.5 વિકાસ દરથી આગળ વધવાનું પહેલા પણ હતું મુશ્કેલ
આર્થિક મોરચે કોરોના વાયરસ આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. કોરોનાને કારણે આવી તસવીર બનાવવામાં આવી રહી છે કે વૈશ્વિક મંદી આવી રહી છે. આર્થિક બાબતોના નિષ્ણાંતો અને મુખ્ય વૈશ્વિક વ્યૂહ રચનાકાર રુચિર શર્મા કહે છે કે વૈશ્વિક મંદી આવવાની જ છે. 2008માં જેવી મંદી આવી હતી તેવી સ્થિતિ બનવાની શંકા છે.
Wake up call from global investor and author Ruchir Sharma: Global recession is built into corona crisis, could get worse if outbreak lasts beyond May, Indian economy in worse place than 2008,if it grows at even 3 per cent will be a ‘miracle’. Watch here! https://t.co/qmk7T8Y4en
તેમણે કહ્યું કે, જો આવતા એક મહિનામાં કોરોના વાયરસનું નિયંત્રણ ન મળે તો વર્ષ 2008-09 જેવી વૈશ્વિક આર્થિક મંદી આવશે. કદાચ તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ વૈશ્વિક અર્થવ્યવસ્થાની હશે, કારણ કે વૈશ્વિક અર્થવ્યવસ્થા હાલમાં એવી નથી જે દસ કે વીસ વર્ષ પહેલાં હતી.
વિકાસદર વધવો મુશ્કેલ
તેમણે કહ્યું હતું કે ભારત 6.5 ટકાના વિકાસ દરે વૃદ્ધિ કરે તે પહેલાં પણ તે મુશ્કેલ હતું અને હવે કોરોના હિટને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાના પતનને કારણે પરિસ્થિતિ વધુ કથળી છે. તેમણે કહ્યું કે વૈશ્વિક અર્થતંત્રમાં એક ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. કોરોના કટોકટી પહેલા વૈશ્વિક અર્થવ્યવસ્થા ત્રણથી ચાર ટકાના દરે ચાલી રહી હતી, પરંતુ હવે તેમાં એક ટકાનો ઘટાડો થવાની ખાતરી છે. જો તે બે થી ત્રણ ટકાથી એક ટકા સુધી ઘટશે તો તેની સીધી અસર ભારતના આર્થિક વિકાસ પર પણ પડશે.
અર્થવ્યવસ્થા પર પડશે અસર
તેમણે કહ્યું કે, એવી ધારણા હતી કે ભારતની આર્થિક વૃદ્ધિ 5થી 6 ટકાના દરે થશે, પરંતુ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં બેથી ત્રણ ટકાના ઘટાડાની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડશે. આ સ્થિતિમાં ભારતનો હાલનો આર્થિક વિકાસ 2 થી 3 ટકા સુધી ઘટી શકે છે.