ગાંધીનગર ખાતે વીડિયો કોન્ફરનસ દ્વારા યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પૂરવઠા વિભાગની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જણાવામાં આવ્યું હતું કે કેબિનેટની બેઠકમાં કોરોનાને લઇને જિલ્લાવાર માઇક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં કોરોનાને લઇને વધુમાં વધુ ટેસ્ટિંગ થાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં 34 હજાર ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી અપાઇ
7 જિલ્લામાં 8.47 લાખ લાભાર્થીને 1-1 હજારની સહાય
જ્યા 10થી વધુ કેસ છે ત્યાં ખાસ નજર રાખવામાં આવી છે
અશ્વિની કુમારે જણાવ્યું હતું કે કોરોનાને લઇને તમામ જિલ્લા કલેકટરને સુચના આપવામાં આવી છે. વધુમાં વધુ ચકાસણી અને ટેસ્ટિંગ કરવાની કલેકટરોને સુચના આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં 34 હજાર ઉદ્યોગેને શરૂ કરવાની પરવાનગી અપાઇ છે. જેમાં આશરે 2 લાખ વર્કરો કામ કરી રહ્યાં છે.
શહેરી વિસ્તાર સિવાયના તમામ વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ બની છે. અમરેલી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સુરેન્દ્રનગરના લાભાર્થીઓને સહાય આપવામાં આપી. આમ રાજ્યમાં કુલ 7 જિલ્લામાં 8 લાખ 47 હજાર લાભાર્થીઓને 1-1 હજારની સહાય અપાઇ છે.
અશ્વિની કુમારે જણાવ્યું હતું કે જ્યાં 10થી વધારે કેસ છે ત્યાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં ગઇકાલે 121 માર્કેટિંગ યાર્ડ ચાલુ હતા. જેમાં 2 લાખ 31 ક્વિંટલ ઘઉંની આવક થઇ.