ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, કોવિડ પ્રતિબંધોમાં મળી શકે છે છૂટછાટ, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાશે બેઠક.
કોરોના અંગે નવી ગાઇડલાઇન જાહેર થશે
આજે નવી ગાઇડલાઇન જાહેર કરાશે
CM નિવાસસ્થાને કોર કમિટીની બેઠક મળશે
ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં એકાએક ચિંતાજનક ઉછાળો આવ્યો હતો. જો કે, છેલ્લા એકાદ અઠવાડિયાથી કેસ સતત ઘટી રહ્યા છે. ત્યારે સૂત્રો દ્વારા મળી જાણકારી પ્રમાણે રાજ્યમાં લાગૂ કરવામાં આવેલ કોવિડ નિયમો હળવા થઈ શકે છે.
CM આવાસ ખાતે કોર કમિટિની બેઠક
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને CM આવાસ ખાતે કોર કમિટિની બેઠક મળનારી છે. જેમાં રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહી શકે છે. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને સરકારની આગામી રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
કોવિડ નિયમો થઈ શકે છે હળવા
આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું હોવાથી કોવિડ પ્રતિબંધોમાં હળવા થઈ શકે છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલ કોવિડ ગાઈડલાઈનની અવધિ પણ પૂર્ણ થઈ રહી છે ત્યારે નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.
જામનગરમાં કોરોનાનું સંક્રમણ યથાવત
જામનગરમાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે. જામનગરના નોડલ ઓફિસર ડો. S.S. ચેટરજીએ કોરોનાને લઇને મહિતી આપતા જણાવ્યું કે છેલ્લા 2 મહિનામાં 244 દર્દીઓને કોરોનાની સારવાર અપાઇ. જેમાંથી 150 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઇ ઘરે પરત ફર્યા. હજુ 60 દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાંથી 15 દર્દી બાયપેપ પર છે અને 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જામનગરમાં કોરોનાથી કુલ 6 બાળકો સંક્રમિત થયા. જેમાંથી 3 વર્ષિય બાળકનું કોરોનાને કારણે મૃત્યુ થયું. કોરોનાને નાથવા માટે જીલ્લામાં આરોગ્ય રથ પણ કાર્યરત કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં ત્રીજી લહેરની પીક હવે સમાપ્ત થઈ હોય તેવુ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 12,911 કેસ કોરોના પોઝિટિવ આવતા તંત્રને લોકો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 4405 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત 708 શહેરમાં કેસ તો રાજકોટ 1008 શહેરમાં કેસ, વડોદરા શહેરમાં 1871 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 364 કેસ, ભાવનગર શહેરમાં 233 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 22 લોકોએ દમ તોડ્યો છે જ્યારે 23,197 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 1,17,884 સંખ્યા સુધી પહોંચી ગઈ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.51 લાખ કેસ નોંધાયા છે. સાથેજ 627 લોકોના મોત થયા છે. જોકે સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 3,47,443 દર્દીઓ સાજા પણ થયા છે. જેથી કોરોનાની ગતિ હવે ધીમી પડી રહી છે. તેવું કહી શકાય. એકદંરે હવે દેશમાં કેસ ઘટી રહ્યા છે. જેથી પ્રતિબંધો પણ હટી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 627 લોકોના મોત
આપને જણાવી દઈએ કે ગઈકાલની સરખામણીએ 35 હજાર જેટલા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે દેશામાં 2.86 લાખ જેટલા કેસ નોંધાયા હતા. જોકે ગઈકાલ કરતા આજે મોતની સંખ્યા વધી ગઈ છે. કારણકે ગઈકાલે 573 લોકોના મોત થયા હતા જ્યારે 627 લોકોના મોત થયા છે. જે એક ચિંતાજનક બાબત કહી શકાય.
21 લાખ કરતા વધુ એક્ટિવ કેસ
હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 21,05,611 છે. ડેલી પોઝિટિવિટી રેટની વાત કરીએ તો પોઝિટિવિટી રેટ પણ 15,.88ટકા છે. ભારતમાં અત્યાર સુધીમાં 3,80,24,771 લોકો સાજા થયા છે. જોકે વેક્સિનેશનને કારણે હવે કોરોનાની ગતી ધીમી પડી છે. પહેલાની સરખાણમીએ હવે લોકો ઝડપથી રિકવર થઈ રહ્યા છે.