ભારતના વૈજ્ઞાનિકોએ દુનિયામાં પહેલીવાર કાગળના માધ્યમથી માત્ર એક કલાકમાં કોરોના વાયરસ મ્યૂટેશને શોધવાની ટેક્નિક વિક્સાવી.
કાગળના માધ્યમથી માત્ર એક કલાકમાં કોરોના વાયરસ મ્યૂટેશ શોધવાની ટેક્નિક
ભારતના વૈજ્ઞાનિકોએ દુનિયામાં પહેલીવાર કાગળના માધ્યમ વાળી આ આ ટેક્નિક વિક્સાવી
આવનારા બે મહિનામાં મોટી જાહેરાતના સંકેત
કાગળના માધ્યમથી માત્ર એક કલાકમાં કોરોના વાયરસ મ્યૂટેશ શોધવાની ટેક્નિક
જિનોમ સિક્વેસિંગ વિજ્ઞાનમાં ભારતના વૈજ્ઞાનિકોને અત્યાર સુધીમાં મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ દુનિયામાં પહેલીવાર કાગળના માધ્યમથી માત્ર એક કલાકમાં કોરોના વાયરસ મ્યૂટેશને શોધવાની ટેક્નિક વિક્સાવી છે. જેને ફેલુદા રે(આરએવાઈ) નામ આપ્યુ છે. ગત વર્ષ ફેલુદા નામથી જ એક ટેસ્ટિંગ કિટ તૈયાર કરવામાં આવી હતી જે અનેક રાજ્યોમાં વપરાઈ રહી છે.
ટેસ્ટિંગની શું છે સ્થિતિ
સીએસઆઈઆરેના નવી દિલ્હી સ્થિત આઈજીઆઈબી સંસ્થાનના વૈજ્ઞાનિકોએ આ જાન્યુઆરીથી મેની વચ્ચે રેપિડ વેરિએન્ટ ડિટેક્શન એસે(રે) ટેક્નોલોજી વિકસાવી છે. સામાન્ય રીતે એક સેમ્પલની જિનોમ સિક્વેસિંગમાં ઘણો લાંબો સમય અને પૈસા વપરયા છે. જે માટે ઉચ્ચ સ્તરની લેબ પણ જોઈએ છે. જેની ભારતમાં અછત છે. ત્યારે 10 લેબમાં સિક્વેસિંગ ચાલી રહી છે. જ્યારે હાલમાં જ 17 અન્ય લેબમાં શરુ થઈ છે. જિલ્લા સ્તર પર સિક્વેન્સિંગની સુવિધા નથી. સ્થિતિ એ છે કે દેશમાં 37 કરોડથી વધારે સેમ્પલની તપાસ થઈ પણ જેમાંથી ફક્ત 30 હજાર સેમ્પલની સિક્વેસિંગ કરી શકાયુ. આ સ્થિતિ ત્યારે છે જ્યારે બીજી લહેરમાં અત્યાર સુધી ડેલ્ટા સહિત અને ગંભીર વેરિએન્ટ દેશની સામે છે.
સિક્વેસિંગ માટે એફએનસીએસ9 નામની એક ટેક્નોલોજી
શોધકર્તા દેવજ્યોતિ ચક્રવર્તીના અનુસાર આઈજીઆઈબીના ડો. સૌવિક મૈજ્ઞી તથા ડો. રાજેશ પાંડેના ઓબર્જર્વેશનમાં ડો. મનોજ કુમાર, સ્નેહા ગુલાટીએ મળીને આ સિક્વેસિંગ સરળ પ્રક્રિયા જાણવા અધ્યયન શરુ કર્યુ હતુ. જે પુરુ થઈ ચૂક્યુ છે. સિક્વેસિંગ માટે એફએનસીએસ9 નામની એક ટેક્નોલોજી છે. જેના માધ્યમથી અમે આરએનએથી એસએનવીને જાણ્યા અને ઓળખ્યા બાદ રીડ આઉટને પેપર સ્ટ્રિપ્સના માધ્યમથી પુરુ કર્યુ. આ પ્રક્રિયામાં લગભગ એક કલાક લાગ્યો . જે બાદ અમે ડેલ્ટા સહિત ગંભીર મ્યૂટેશનને શોધ્યો. આ ટેક્નોલોજી સૌથી સરળ અને સહેલી છે. જે જિનોમ સિક્વેસિંહને લઈને દેશમાં મોટું પરિવર્તન કરી શકે છે.
આગળ શું ?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેક્નોલોજીને ભારતમાં કેવી રીતે ઉપયોગમાં લેવી તે અંગે હજું સુધી કોઈ યોજના નથી બની પરંતુ જલ્દી આના પર કામ કરવામાં આવી શકે છે. કેમ કે આઈસીએસઆર સહિત અન્ય તમામ સંસ્થાનોની સાથે વિચાર - વિમર્શ ચાલી રહ્યો છે. આવનારા બે મહિનામાં મોટી જાહેરાતના સંકેત મળી રહ્યા છે.