આજથી દેશભરમાં ફ્લાઈટ્સની શરૂઆત થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે એર ઈન્ડિયા આવનારા 10 દિવસ સુધી તમામ પ્રકારના બુકિંગ સાથે ફ્લાઈટ્સ ચલાવી શકશે કારણ કે આ માટેનું બુકિંગ પહેલાંથી થઈ ચૂક્યું છે. પરંતુ મિડલ સીટ માટે બુકિંગ 10 દિવસ બાદ લઈ શકાશે નહીં.
એર ઈન્ડિયાના બુકિંગને લઈને સુપ્રીમનો આદેશ
બોમ્બે હાઈકોર્ટે આદેશ વિરુદ્ધ કરી અરજી
કેન્દ્ર અને એર ઈન્ડિયાની અપીલ પર કર્યો નિર્ણય
આજથી શરૂ થયેલી એરલાઈન્સમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલનને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું છે કે એર ઈન્ડિયા આવનારા 10 દિવસો સુધી સંપૂર્ણ ફ્લાઈટ્સ ચલાવી શકશે કારણ કે તે માટેનું બુકિંગ પહેલાંથી થઈ ચૂક્યું છે પણ હવેથી તે મિડલ સીટને લઈને બુકિંગ કરી શકશે નહીં.
કોર્ટે આપ્યો આ આદેશ
આ સાથે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સામાજિક અંતરના પાલન માટે એક અલગ આદેશ આપવા જણાવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે કેન્દ્ર અને એર ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે મધ્ય સીટ બુક ન કરવા આદેશ આપ્યો હતો.
શું છે સુપ્રીમનો આદેશ?
સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું છે કે અમે સામાન્ય રીતે હાઈકોર્ટ દ્વારા પસાર કરેલા વચગાળાના આદેશમાં દખલ કરવા તૈયાર નથી, પરંતુ સોલિસિટર જનરલે વિદેશમાં ફસાયેલા ભારતીયો દ્વારા થતી મુશ્કેલી વિશે જણાવ્યું છે. તેઓને પ્રવાસ માટે માન્ય ટિકિટ આપવામાં આવી છે. હાઇકોર્ટના આદેશથી અનેક ચિંતાઓ અને મુશ્કેલીઓ ઊભી થઈ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક સાથે યાત્રા કરનારા પરિવારની યોજનાઓ વિખેરાઈ છે. જે પરિવારના લોકો પાસે મિડલ સીટ હતી તેમને ઉતારી દેવા જોઈએ અને સાથે પાછળ રાખવા જોઈએ. એર ઈન્ડિયાને 10 દિવસ માટે સીટ બુકિંગની સાથે બિન અનુસૂચિત ફ્લાઈટ્સના સંચાલનને પરમિશન અપાશે.
શું હતો બોમ્બે હાઈકોર્ટનો આદેશ?
ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે એર ઈન્ડિયાને આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સમાં વચ્ચેની સીટો ખાલી રાખવાનો આદેશ આપ્યો છે. આ સિવાય હાઈકોર્ટે એર ઈન્ડિયાના ડાયરેક્ટર ઓફ જનરલ સિવિલ એવિએશનના સોશ્યલ ડિસ્ટન્સિંગ સર્ક્યુલેશનનું પાલન કરવા માટે કહ્યું હતું. તેના માટે સીટ વચ્ચે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ખાલી રાખવાની જરૂર છે.