21 દિવસોના લૉકડાઉનની વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગરીબો માટે 1.70 લાખ કરોડના સ્પેશિયલ પેકેજનું એલાન કર્યું છે. આ પેકેજ દ્વારા દેશના ખેડૂત, મજૂર અને મહિલા વર્ગ ઉપરાંત વૃદ્ધો, વિધવા અને દિવ્યાંગોને રાહત આપવાની કોશિશ કરી છે. પરંતુ મીડલ ક્લાસને ઝટકો આપ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગરીબો માટે 1.70 લાખ કરોડના સ્પેશિયલ પેકેજનું એલાન કર્યું
નાણામંત્રીની તરફથી મીડલ ક્લાસ માટે હાલ તો કોઇ ખાસ વિશ્વસનીય જાહેરાત નહીં
શું છે EPF પર રાહત
નાણા મંત્રીએ કહ્યું કે સરકાર ઇપીએફમાં 3 મહીના સુધી એમ્પ્લૉયી અને એમ્પલૉયર બંનેના હિસ્સામાં યોગદાન આપશે. આ નિયમ એ તમામ કંપનીઓ તથા સંસ્થાઓ પર લાગૂ થશે, જ્યાં 100થી ઓછા કર્મચારી છે અને જેના 90 ટકા કર્મચારીઓની સેલરી 15,000 રૂપિયાથી ઓછી છે.
એનો અર્થ એવો થયો કે એક મોટા વર્ગની ઇપીએફની રકમ હવે સીધા તેમના બેન્ક ખાતામાં આવશે અને તેમના પીએફ ખાતામાં જતી રકમ સરકાર જમા કરશે. આ નિયમ માત્ર 3 મહીના માટે છે. આ નિયમથી લગભગ 80 લાખ કર્મચારીઓ અને લગભગ 4 લાખ સંસ્થાનોને ફાયદો થશે. આ ઉપરાંત ઇપીએફઓ (EPFO) સબસ્ક્રાઇબર પોતાની ઇપીએફમાં જમા કુલ રકમના 75 ટકા અથવા ત્રણ મહીનાની સેલરી, જે સૌથી ઓછી હોય તે રકમ જરૂર પડવા પર નીકાળી શકશે.
લોન અને EMI પર શું કહ્યું
નાણામંત્રીએ લોન અને ઇએમઆઇની ચિંતાઓ પર કહ્યું કે હાલ અમારુ લક્ષ્ય ગરીબોને પુરતુ ભોજન અને પૈસા પહોંચાડવાનું છે. નાણામંત્રીની તરફથી મીડલ ક્લાસ માટે હાલ તો કોઇ ખાસ વિશ્વસનીય જાહેરાત નથી કરાઇ.
ઉજ્જવલા યોજનાને લઈને જાહેરાત
ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ BPL પરિવારોને ત્રણ મહિના સુધી ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરાઈ છે.
મહિલાઓ માટે મહત્વની જાહેરાત
20 કરોડ મહિલાઓના ખાતામાં આવાતા ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિના જમા થશે.
વૃદ્ધો અન દિવ્યાંગોને પણ રાહત
વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગો માટે 1000 રૂપિયા વધારાના આપવામાં આવશે. આ આવતા ત્રણ મહિનાઓ સુધી રહેશે. જેને બે હપ્તાઓમાં જમા કરવામાં આવશે. આ વર્ગના લોકો માટે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર કરવામાં આવશે. આ પહેલનો ફાયદો લગભગ 3 કરોડ લોકોને મળશે.
મજૂરોની મજૂરી વધારાઈ
સીતારમણે જણાવ્યું કે મનરેગા હેઠળ આવતા મજૂરોની મજૂરી વધારી દેવાઈ છે. આ મજૂરી પેહલાં 182 રૂપિયા હતી જે હવે 202 રૂપિયા કરાઈ છે. જેનો ફાયદો 5 કરોડ પરિવારને થવાની આશા છે.
8 કરોડ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હપ્તાના 2000 રૂપિયા એપ્રિલ મહિનામાં તેમના ખાતામાં જમા કરવાનો નિર્ણય કરાયો છે. આ જાહેરાત 8 કરોડ ખેડૂતોને ફાયદો થશે. જન-ધન ખાતાથી પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે.
20 લાખ કર્મચારીઓને 50 લાખનો વીમો
નાણામંત્રી સિતારમણે કોરોના સંકટમાં કામ કરી રહેલાં સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે 50 લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.
સસ્તા અનાજની પણ જાહેરાત
આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને 5 કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે. 1 કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે.