પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનો બેલ્જિયમ પ્રવાસ ટાળી દીધો છે. કોરોના વાયરસ (Coronavirus)ના ખતરાને જોતા પીએમ નરેન્દ્ર મોદીએ આ નિર્ણય લીધો છે. પીએમ મોદીને ભારત-યૂરોપિયન યૂનિયન સમ્મેલનમાં ભાગ લેવા માટે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ જવાનું હતું.
પીએમ નરેન્દ્ર મોદીએ પોતાનો બેલ્જિયમ પ્રવાસ ટાળી દીધો છે
કોરોના વાયરસના ખતરાને જોતા પીએમ નરેન્દ્ર મોદીએ આ નિર્ણય લીધો છે
ભારત-યૂરોપિયન યૂનિયન સમ્મેલનને પણ ટાળી દેવામાં આવ્યું છે
આ સમ્મેલનને પણ ટાળી દેવામાં આવ્યું છે. હાલ આ સમ્મેલનની તારીખ નક્કી કરવામાં આવી નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ગુરુવારે જણાવ્યું કે પીએમ મોદીના બ્રસેલ્સ પ્રવાસને પુનનિર્ધારિત કરવામાં આવ્યો છે. જ્યાં સુધી ભારત-યૂરોપિયન યૂનિયન શિખર સમ્મેલનની વાત છે તો એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આપણે એક-બીજાના દેશોમાં યાત્રા ન કરવી જોઇએ. જ્યારે બાંગ્લાદેશ પ્રવાસને લઇને વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રવાસ થશે. આ અંગે આગળ જાણકારી જાહેર કરવામાં આવશે.
Raveesh Kumar, MEA: As far as India-EU Summit is concerned which PM Modi had to attend, the health authorities of both the countries suggested that travelling must not take place at present. So, it has been decided that Summit will be rescheduled on a mutually convenient date. pic.twitter.com/ks8YtDbfZ3
બુધવારે બ્રસેલ્સમાં કોરોના વાયરસના 10 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જે બાદ બેલ્ઝિયમમાં કુલ વાયરસના કેસની સંખ્યા 23 થઇ ગઇ હતી. પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે આ નિર્ણય યૂરોપિયન યૂનિયન અને ભારતની વચ્ચે ઘનિષ્ઠ સહયોગની ભાવનાથી લેવામાં આવ્યો છે.
જે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે સમાન ચિંતાઓ અને પ્રતિબદ્ધતાને શૅર કરે છે અને આશા રાખવામાં આવે છે કે કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ જલ્દી જ ખતમ થઇ જશે.