હોન્ગકોન્ગ યૂનિવર્સિટીના પ્રોફેસર ક્વૉક યંગે દાવો કર્યો છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસ (Coronavirus) ખતમ નહીં થાય. કેમકે હવે તે આખી દુનિયામાં ફેલાઇ ચૂક્યો છે. પ્રોફેસર યૂએન ક્વૉક યંગે જ 2003માં આખી દુનિયામાં ફેલાયેલા સાર્સ મહામારીની ઇલાજ શોધ્યો હતો. હાલ તેઓ કોરોના વાયરસનો ઇલાજ શોધી રહ્યા છે.
પ્રોફેસર યૂએન ક્વૉક યંગે જ 2003માં આખી દુનિયામાં ફેલાયેલા સાર્સ મહામારીની ઇલાજ શોધ્યો હતો
ક્વૉક યંગે કહ્યું- કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવું, હાથ સાબુ અથવા સેનેટાઇઝરથી સ્વચ્છ કરતા રહો
પ્રો. યંગે જણાવ્યું કે ચીનની મીડિયાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે હવે આ વાયરસ સતત મ્યૂટેટ થઇ રહ્યો છે. એટલે કે તે ખુદને સતત બદલી રહ્યો છે. અમારી પાસે તેના માહિતી પણ નથી. તેનો કોઇ ઇલાજ પણ નથી. હાલ રિસર્ચ થઇ રહ્યું છે પરંતુ પરિણામ કંઇ જ આવ્યું નથી.
પ્રો. યૂએન ક્વૉક યંગે કહ્યું કે સ્થિતિ ગરમીના સમયમાં થોડી સુધરી શકે છે પરંતુ આ વાયરસ હવે ધરતી પરથી ખતમ નહીં થાય. તે આ વર્ષના અંત સુધીમાં દુનિયાભરમાં લોકોને ડરાવતો રહેશે. કેમકે તે કમજોર બને છે પરંતુ જેવી સ્થિતિ તેના અનુકૂળ બને છે તો તે ફરી ઝડપી બને છે.
પ્રોફેસરે જણાવ્યું કે વાયરસ અને તેના ખતમ ન થવાનું સૌથી મોટુ કારણ છે તેના આટલા બધા લોકોનું સંક્રમિત થવું. આ વાયરસ શાંત હોય છે ત્યારબાદ કેટલાક દિવસો બાદ લોકોને સંક્રમિત કરે છે. ચીન અને દુનિયાના ઘણા દેશોમાં ઠીક થયેલા દર્દીઓને ફરીથી કોરોના સંક્રમણની મુશ્કેલીઓ સામે આવી છે. પહેલા ચીને દુનિયાને ડરાવ્યું હવે આખી દુનિયા ચીનને ડરાવી રહી છે.
પ્રોફેસર યૂએન ક્વૉક યંગે દુનિયાભરના લોકોને અપીલ કરી છે કે તેઓે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવાનું બંધ કરી દે. ખાસ કરીને એ વિસ્તારોમાં બિલકુલ ન જાય જ્યાં લોકો સંક્રમિત છે. પ્રો. યૂએન ક્વૉક યંગે કહ્યું કે દુનિયાભરના વૈજ્ઞાનિક દાવો કરી રહ્યા છે કે કોરોના વાયરસ એપ્રિલ સુધીમાં ખતમ થઇ જશે પરંતુ આ સત્ય નથી. આ વાયરસ પોતાને બદલી રહ્યો છે.
પ્રો. યૂએન ક્વૉક યંગે કહ્યું કે આ બીમારીથી બચવાનો એક જ ઇલાજ છે માસ્ક પહેરવું. હાથ સાબુ અથવા સેનેટાઇઝરથી સ્વચ્છ કરતા રહો. સાર્વજનિક સ્થાનો પર ભીડ અને લોકોથી દૂર રહેવું જોઇએ. તેઓએ કહ્યું કે હાલ તો આપણે માત્ર હાઇજીન અને સ્વચ્છતા દ્વારા વાયરસના ફેલાવાને રોકી શકીએ છીએ. તેનાથી વૈજ્ઞાનિકોને રિસર્ચ કરીને વેક્સિન બનાવવાનો સમય મળશે.