ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક શહેરોમાં તંત્ર દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે એકશન લેવામાં આવતા હોય છે. ત્યારે રાજ્યના ભાવનગર શહેરમાં વધતા કોરોના કેસને લઇને તંત્ર દ્વારા હવે એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આવેલ અમદાવાદના માર્ગ પર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ સાથે ચેકપોસ્ટ સિવાયના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યાં છે.
ભાવનગરમાં કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
અમદાવાદના માર્ગ પર ચેક પોસ્ટ ઉભી કરાઇ
બરોડા, સુરત અને મુંબઇના માર્ગ પર પણ ચેકપોસ્ટ
ચેકપોસ્ટ સિવાયના તમામ માર્ગ બંધ કરાયાં
રાજ્યના ભાવનગર શહેરની વાત કરીએ તો જિલ્લા તેમજ શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારાને લઇને તંત્ર એકશન મોડમાં આવી ગયું છે.
હવે ભાવનગરમાં પ્રવેશતા અન્ય શહેરોના વાહનો માટે અમદાવાદ હાઇવે પર ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ સાથે અન્ય રસ્તોઓ પરથી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ભાવનગરમાં પ્રવેશ માટેના અમદાવાદના માર્ગ પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ સાથે બરોડા, સુરત અને મુંબઇના માર્ગ પર પણ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.
આ સાથે શહેરના તંત્ર દ્વારા ચેકપોસ્ટ સિવાયના તમામ માર્ગ બંધ કરી દેવામાં આવ્યાં છે. આમ બીજા શહેરોમાંથી આવતા વાહનોને આ ચેક પોસ્ટવાળા માર્ગમાંથી પ્રવેશ આપવામાં આવશે. અન્ય રસ્તાઓ પરથી પ્રવેશ પર પ્રતિબંધન મુકાયો છે.
ભાવનગરમાં કોરોનાનો કહેર વધતા સરકારી અને ખનગી તમામમાં હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થયો છે અને હવે નવા કેસોને સમાવવા મોટો પ્રશ્ન બન્યો છે ત્યારે હવે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં તંત્રએ વધારાના 200 બેડની સુવિધા ઉભી કરવામાં આવી હતી. ભાવનગરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 1300થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ અંદાજે 500 જેટલા દર્દીઓ સિવિલમાં સારવાર લઇ રહ્યાં છે.