ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 1489 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 64291 લોકો કોરોના ગ્રસ્ત છે. જેમાં ચીનમાં સૌથી વધારે લોકો અસર ગ્રસ્ત છે. જેની સૌથી મોટી અસર ભારતને પડી છે. ભારત પાસે ફક્ત એપ્રિલ સુધી ચાલે તેટલી જ દવાઓ છે. જાણો, ભારતમાં આ અછત કેવી રીતે સર્જાઈ.
અન્ય દેશોમાં દવાની નિકાસ નહીં કરી શકે ભારત
એપ્રિલ સુધી ચાલે તેટલો જ બચ્યો સ્ટોક
ભારતમાંથી દર વર્ષે 1.3 લાખ કરોડની દવાની થાય છે નિકાસ
ભારત પાસે દવાનો મર્યાદિત સ્ટોક
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસની અસર હવે દુનિયાભરમાં જોવા મળી રહી છે. ત્યારે ભારતમાં પણ દવાઓનું ગંભીર સંકટ ઉભુ થઇ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ભારત પાસે માત્ર એપ્રિલ સુધી ચાલે તેટલો જ દવાનો સ્ટોક બચ્યો છે.
ચીનમાંથી દવાનો સપ્લાય નહીં કરવામાં આવે તો
ભારતમાં દવાઓના ભાવમાં કોઈ વધારો ન થાય તે માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના પણ કરી છે. આ સમિતિમાં ટેક્નિકલ વિભાગનાં નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિએ મોદી સરકારને સુપરત કરેલા અહેવાલ મુજબ, જો આગામી એક મહિનામાં ચીનમાંથી દવાનો સપ્લાય નહીં કરવામાં આવે તો દેશમાં ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.
આ કંપનીઓમાંથી કાચા માલ તરીકે દવાઓ ઉત્પન્ન થાય છે
ઉલ્લેખનીય છે કે દવાનાં બિઝનેસ સાથે સંકળાયેલી મોટાભાગની કંપનીઓ ચીનના વુહાન જેવા શહેરોમાં છે. આ કંપનીઓમાંથી કાચા માલ તરીકે દવાઓ ઉત્પન્ન થાય છે. તેમજ વિશ્વના દેશોમાં મોકલે છે.
ઓપરેશન થિયેટરના 90 ટકા પાર્ટસ ચીનથી આવે છે
ભારતમાં 80 ટકા દવાઓનો કાચો માલ ચીનથી આવે છે. ભારત ચીન પાસેથી આશરે 57 પ્રકારના અણુ મંગાવે છે. API જ નહીં ઓપરેશન થિયેટરના 90 ટકા પાર્ટસ પણ ચીનથી આવે છે. તો બીજી તરફ કેસની ગંભીરતાને જોતા ભારત દવાના નિકાસ પર પ્રતિબંધ લગાવી શકે છે. ભારતમાંથી દર વર્ષે 1.3 લાખ કરોડ રૂપિયાની દવાઓ નિકાસ કરવામાં આવે છે. જો ચીનમાં આ જ સ્થિતિ રહેશે તો ભારતમાં એન્ટિબાયોટિક્સ, ડાયાબિટીઝ, સ્ટીરોઇડ્સ, હોર્મોન્સ અને વિટામિન દવાઓની અછત સર્જાઈ શકે છે..