Coronavirus / વિશ્વના 103 દેશોમાં પહોચ્યો કોરોના વાયરસ, ભારતીયોને લઈ PMO બન્યું સતર્ક

Coronavirus Effect In All Over World Death Toll Reaches 3500

શનિવારે વિશ્વભરમાં કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. શનિવારે ભારત પર વધુ 3 કેસ નોંધાયા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી અસરગ્રસ્ત થયાના 34 કેસ નોંધાયા છે. કોરોનાના કારણે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને લઈ PMO સતર્ક બન્યું છે. અહીં ફસાયેલા ભારતીયોને ઈરાન માંથી કાઢવા માટે અધિકારીઓને સુચન પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ સંક્રમિત દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા સજ્જ કરવા નિર્દેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોરોનાના કારણે ઈરાનમાં કુલ 145 મોત નીપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ