નારંગીમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે. તેના વધારે પડતા સેવનથી પેટ અને છાતીમાં બળતરાની સમસ્યા સર્જાય છે. આજે જાણો નારંગી ખાવાના ફાયદા અને નુકસાન વિશે પણ.
વિટામીન સીનો સ્ત્રોત છે નારંગી
ઈમ્યુનિટી વધારવા લોકો વધુ પ્રમાણમાં કરી રહ્યા છે સેવન
નારંગીનો વધારે ઉપયોગ કરે છે નુકસાન
કોરોના વાયરસના કારણે લોકો પોતાની ઇમ્યુનિટી વધારવાના અનેક પ્રયાસ કરી રહ્યા છે અને વિટામીન સી વધારે પ્રમાણમાં લઈ રહ્યા છે. સૌથી વધારે વિટામીન સી નારંગીમાં હોય છે. આ ઈમ્યુનિટીને મજબૂત કરે છે અને સાથે તેમાં કેલેરી પણ વધારે હોય છે તેનાથી વજન વધતું નથી. અનેક લોકો ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે નારંગીનું વધારે સેવન કરી રહ્યા છે. પણ આ સમયે નારંગીના ફાયદા અને નુકસાન જાણી લેવા જરૂરી છે.
નારંગીના વધારે સેવનથી થાય છે આ મોટી તકલીફો
કોઈ પણ ચીજનું વધારે સેવન કરવાથી નુકસાન થાય છે નારંગીનું સેવન ફાયદો કરે છે પણ તેનું વધારે પ્રમાણ શરીરને માટે અનેક મુશ્કેલીઓ વધારે છે. નારંગી વિટામીન સીથી ભરપૂર હોય છે અને તેમાં ફાઈબર પણ વધારે હોય છે. ફાઈબરનું વધારે સેવન કરવાથી પેટમાં બળતરા, ગેસ, એસિડીટી કે ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય દાંત ખરાબ થવા, દાંતની સુરક્ષા કરનારું પડ ડેમેજ થવું કે પછી દાંતના કેલ્શિયમને પણ રિએક્શન થાય છે અને દાંત જલ્દી ખરાબ થાય છે. જો વધારે ફાઈબર યુક્ત ખોરાક લેવાય તો પણ મુશ્કેલી સર્જાય છે. તેથી પ્રમાણસર રીતે નારંગીનો ઉપયોગ લાભદાયી રહે છે.
નારંગી ખાવાના આ છે મોટા ફાયદા
નારંગી ખાવાથી વજન વધતું નથી અને ઈમ્યુનિટી મજબૂત રહે છે.
વારેઘડી શરદીની ફરિયાદ રહેતી હોય તો નારંગી લાભદાયી બને છે.
સીઝનલ બીમારીથી બચવા માટે પણ નારંગી સારી માનવામાં આવે છે.
નારંગીમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને સારી રાખે છે.
નારંગીનું વિટામીન સી શુષ્ક સ્કીનને સારી કરે છે. તેની છાલનો લેપ લગાવીને બનાવવાથી ચહેરા પર નિખાર આવે છે.
નારંગી ખાવાથી ખરતા વાળની સમસ્યામાં રાહત મળે છે અને વાળ કાળા, લાંબા થવાની સાથે તેનો ગ્રોથ પણ વધે છે.
જે લોકોને ટાઈપ 2 ડાયાબીટિસની સમસ્યા છે તેઓ માટે નારંગીનો ઉપયોગ ફાયદો કરે છે. આ સિવાય દિલની બીમારીથી પીડિત લોકો માટે નારંગી ફાયદો કરે છે. હ્રદય માટે તે ઉત્તમ માનવામાં આવે છે. તેના એન્ટી ઓક્સીડન્ટ્સ કેન્સરમાં પણ મદદ કરે છે. તેના ઉપયોગથી આંખો સારી રહે છે અને મોતિયાબિંદની સમસ્યા ઘટે છે. જે મહિલાઓને હિમોગ્લોબીનની ખામી રહે છે તેઓએ રોજ એક નારંગી ખાવી યોગ્ય છે.