કોરોનાની ત્રીજી લહેર બાળકો પર ઘાતક સાબિત થશે તેવી ચર્ચા છે. પરંતુ ડોક્ટરોનું માનવું છે કે વયસ્કોને પણ સમય પર ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ.
કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે કેટલી ઘાતક?
શરૂઆતમાં કોરોનાના કેવા હોય છે લક્ષણો?
બાળકોમાં આવા લક્ષણો જણાય તો અવગણશો નહીં
હાલમાં જ ભારતમાં કોવિડ-19ની બીજી લહેર ઘીમી પડતી જોવા મળી છે પરંતુ ત્રીજી લહેરનો ખતરો તો પણ દેશ પર છે. કહેવામાં આવે છે કે ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. પરંતુ ડોક્ટરોનું માનવું છે કે વયસ્કોને પણ સમય પર ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ શરૂ કરી દેવું જોઈએ. માટે માતા-પિતાએ બાળકોને જોખમ વાળા વાતાવરણથી ન ફક્ત બચાવવું જોઈએ પરંતુ શરૂઆતી લક્ષણો પર પણ નજર રાખવી જોઈએ.
શું હોય છે બાળકોમાં લક્ષણો?
બાળકોમાં કોવિડ-19ના લક્ષણોમાં ગળામાં ખીચખીચ અને ખાસી જેવા લક્ષણો જોવા મળી શકે છે. ખાસી, અવાજ બેસી જવો અને ગળામાં ખરાસ કોવિડ-19ના કારણે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટમાં સોજાના લક્ષણો થઈ શકે છે. બીજુ એક લક્ષણએ હોઈ શકે છે. કોઈ બાળકોને નાક વહે, નાક બંધ રહે અથવા ગંધ ન આવવાની સાથે નાક બંધ રહેવા જેવા લક્ષણોનો પણ અનુભવ થાય છે.
આવા લક્ષણો હોવાના કારણે માતા-પિતા ક્યારેક તેને સામાન્ય શરદી અને ફ્લૂ જેવા લક્ષણો સમજી બેસે છે. જોકે અમુક લક્ષણો જેવા કે થાક અને માંસપેશિઓમાં દુખાવો, ત્વચા પર લાલ ચકામા અથવા આંખોનું લાલ થઈ જવું, દસ્ત અને પેટમાં દુખાવો, તાવ, ઠંડી લાગવી તમારા બાળકોની તપાસ માટે ઉપરોક્ત સંકેત થઈ શકે છે.