ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા જ્યાં સતત વધી રહી છે ત્યારે દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. સારવાર હેઠળ તમામ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતાં જિલ્લો ફરી કોરોના મુક્ત બન્યો છે.
દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો
સારવાર હેઠળ તમામ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાં
દ્વારકા જિલ્લો ફરી કોરોના મુક્ત બન્યો
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં અમદાવાદ કોરોનાને લઇને હોટસ્પોટ બન્યું છે. ત્યારે રાજ્યમાં હવે ધીરે-ધીરે કેટલાંક જિલ્લાઓ કોરોના મુક્ત બની રહ્યાં છે. જેમાં આજરોજ દ્વારા જિલ્લો કોરોના મુક્ત બન્યો છે.
સૌરાષ્ટ્રમાં આવેલ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. જિલ્લામાં સારવાર હેઠળ તમામ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેને લઇને જિલ્લો ફરી કોરોના મુક્ત બન્યો છે.
દ્વારકા જિલ્લામાંથી કોરોનાના 3 દર્દીઓન ડિસ્ચાર્જ કર્યા બાદ જિલ્લો કોરોના મુક્ત બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. દ્વારકામાં અત્યાર સુદીમાં કુલ 15 કેસો નોંધાયા છે.