દેશમાં જારી કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉનની વચ્ચે પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આ પડકારનો સામનો કરવા માટે એકતા અને ભાઇચારાની જરૂર છે. પીએમ મોદીએ કહ્યું કે કોરોના વાયરસની મહામારી હુમલો કરતા પહેલા વંશ, ધર્મ, જાતિ, રંગ, ભાષા અને સીમાઓ જોતી નથી.
PM મોદીએ કહ્યું, આ પડકારનો સામનો કરવા માટે એકતા અને ભાઇચારાની જરૂર
PM મોદીએ ટ્વીટ કરી કહ્યું, દુનિયા કોવિડ 19 સામે લડી રહી છે
આ પહેલા પીએમ મોદીએ લિન્ક્ડઇન પોસ્ટમાં કહ્યું કે મુશ્કેલ સમયમાં આપણે સૌએ સાથે મળીને આ પડકારનો સામનો કરવાની જરૂર છે. તેઓએ આગળ લખ્યું, કોરોના વાયરસ સમસ્યા લઇને આવ્યો છે. તેઓએ કહ્યું કે કોરોના વાયરસે પ્રોફેશનલ લાઇફને પૂર્ણ રીતે બદલી નાંખી છે. તેઓએ કહ્યું કે આપણું ઘર જ આપણું ઓફિસ છે. ઇન્ટરનેટ આપણુ નવું મીટિંગ રુમ છે. કેટલાક સમય માટે ઓફિસના સહયોગીઓની સાથે બ્રેક લેવો ઇતિહાસ બની ગયું છે.
COVID-19 does not see race, religion, colour, caste, creed, language or borders before striking.
Our response and conduct thereafter should attach primacy to unity and brotherhood.
પીએમ મોદીની આ ટિપ્પણી એ દિવસે આવ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશના મેરઠની એક હોસ્પિટલ પર મુસ્લિમોની સારવાર પર પ્રતિબંધ લગાવવાને લઇને એફઆઇઆર નોંધવામાં આવી છે. સ્થાનીય સમાચાર પત્રોમાં આ હોસ્પિટલે એક જાહેરાત આપી હતી કે મુસ્લિમોની સારવાર અહીં કોરોના વાયરસની સ્ક્રીનિંગ બાદ પણ કરવામાં આવશે. જોકે હોસ્પિટલે તેના માટે માફી માંગી લીધી છે.
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, દુનિયા કોવિડ 19 સામે લડી રહી છે. પરંતુ ભારતના ઉર્જાવાન અને પ્રગતિશીલ યુવા વધારે સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો રસ્તો બતાવી શકે છે.
As the world battles COVID-19, India’s energetic and innovative youth can show the way in ensuring healthier and prosperous future.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 16,116 કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી કુલ 519 મોત થયા છે. જ્યારે 2302 દર્દીઓ ઠીક થયા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણના 1324 કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે 23 રાજ્યોના 54 જિલ્લાઓમાં ગત 14 દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણનો એકપણ કેસ સામે આવ્યો નથી.