દેશમાં સતત કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે અને 35 હજારથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે. કોરોનાના વધતા કેસોને લઇ દેશમાં અલગ અલગ જગ્યા પર ડિસઇન્ફેક્શન ટનલ લગાવવામાં આવી છે. જોકે આ ટનલ માણસો માટે ખુબ જ ખતરનાક છે. એક્સપર્ટનું કહેવું છે કે આ ટનલમાંથી પસાર થઇને પોતાને સેનેટાઇઝ કરવું ખુબ જ ખતરનાક છે. તેનાથી લાંબા ગાળે કેન્સર અને સ્કીન એલર્જી થવાની સંભાવના હોવાથી WHOએ પણ તેનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.
કોરોનાથી બચવા ઉપયોગમાં લેવાતી ટનલ સાબિત થઇ શકે જોખમી
ટનલમાં વપરાતા કેમિકલથી થઇ શકે કેન્સર
WHO આવી ટનલનો ઉપયોગ ન કરવા આપી સલાહ
આ ટનલમાં પસાર થતાની સાથે જ કેમિકલના ફુવારા છુટે છે અને તેમા બ્લીચ અથવા એમોનિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ તમામ કેમિકલ કોઇપણ વસ્તુને સેનેટાઇઝ કરી શકે છે. પરંતુ માણસોની ત્વચા માટે ખુબ જ ઝેરી છે. પદ્મશ્રી સમ્માનિત ડોક્ટર મોહસિન વલીએ કહ્યું કે વિદેશમાં પણ આ ટનલ લગાવવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને હટાવી દેવામાં આવી હતી. તેમાં થતા કેમિકલનો છંટકાવ માનવ શરીર માટે ખતરનાક છે. શરૂઆતમાં ત્વચા પર એલર્જી થઇ શકે છે. પરંતુ લાંબા સમયમાં તે કેન્સર જેવો ગંભીર રોગ થઇ શકે છે. તો WHOએ પણ આ પ્રકારની ટનલનો ઉપયોગ ન કરવા સલાહ આપી છે.
ટનલથી કેન્સર કઇ રીતે થઇ શકે?
ડિસઇન્ફેકશન માટે થઇ રહ્યો છે ટનલનો ઉપયોગ.
ટનલમાં સેનેટાઇઝના ફૂવારા માટે વપરાય છે કેમિકલ.
ટનલમાં સોડિયમ હાઇપોક્લોરાઇટ એટલે કે બ્લીચનો ઉપયોગ થાય છે.